હાર્દિક પટેલ બનશે ગુજરાત વિધાનસભામાં શિવસેનાનો ચહેરો
શિવસેના કરી મોટી જાહેરાત આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ બનશે શિવસેનાનો ચહેરો. નોંધનીય છે કે હાર્દિક પટેલ આજે મુંબઇ ખાતે ઉદ્ધવ ઠાકરેને મળ્યો હતો આ અંગે વધુ જાણો અહીં.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠારકેએ ભારતીય જનતા પાર્ટીને વધુ એક મોટો ઝટકો આપતા જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાસ કન્વીર હાર્દિક પટેલ શિવસેનાનો ચહેરો હશે. આ વાતની જાણકારી ન્યૂઝ એજન્સી પીટીઆઇ દ્વારા આપવામાં આવી છે. નોંધનીય છે કે મંગળવારે, પાસ કન્વીનર હાર્દિક પટેલે મુંબઇમાં શિવસેના સુપ્રીમો ઉદ્ઘવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલ આજે મુંબઇના પાટીદાર સમાજ અને ગુજરાતી સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
જ્યાં તેમનું આજે સન્માન કરવામાં આવશે. તે પહેલા તે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી ગયા હતા. જ્યાં તેમણે સ્વર્ગીય બાલાસાહેબ ઠાકરેના રૂમની મુલાકાત લઇ તેમની શ્રદ્ધાજંલિ અર્પી હતી. નોંધનીય છે કે હાર્દિક જેલમાં હતો ત્યારે પણ તેણે પોતાના એક પત્રમાં જણાવ્યું હતું કે તેને બાલાસાહેબ ઠાકરે જેવા બનવું છે અને સમાજના માટે કામ કરવું છે.
Hardikbhai and Uddhav ji discussed their respective views on fight against social injustice and the way forward
— Aaditya Thackeray (@AUThackeray) February 7, 2017
આદિત્ય
ઠાકરે
પણ
પોતાના
ટ્વિટમાં
તે
વાત
જણાવી
હતી
કે
હાર્દિક
ભાઇ
અને
ઉદ્ધવજી
સામાજીક
ન્યાયની
વિરુદ્ધ
ચાલી
રહેલી
લડાઇ
અંગે
ચર્ચા
કરી
હતી.
તો
બીજી
તરફ
હાર્દિક
પટેલ
પણ
બાલા
સાહેબ
ઠાકરેના
વખાણ
કરતા
અનેક
ટ્વીટ
કર્યા
હતા.
જેમાં
તેણે
કહ્યું
હતું
કે
આજે
પણ
માતોશ્રીમાં
સિંહનો
અવાજ
સંભળાય
છે.
તો
બીજી
ટ્વીટમાં
તેમણે
જણાવ્યું
કે
સારા
લોકોને
મળીને
તેમની
વાત
કરીને
સારું
લાગું
સાચે
જ
એક
થા
ટાઇગર,
બાલા
સાહેબને
નમન.
अच्छें लोगों से मिलकर बातें करना और उस बात को लोगों के बीच में ले जाना अच्छी बात हैं। सच में " एक था टाइगर " बाला साहेब को नमन: pic.twitter.com/JaR33YDebM
— Hardik Patel (@HardikPatel_) February 7, 2017
નોંધનીય છે કે આ વખતે બીએમસી ચૂંટણીઓ વખતે પણ શિવસેના અને ભાજપ અલગ અલગ લડ્યા હતા. અને નોટબંધી પર પણ શિવસેનાએ કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારની કામગીરીને વખોડી હતી. તો બીજી તરફ હાર્દિક પણ હંમેશાથી પોતાની નેતા ન બનવાની ઇચ્છા વ્યક્ત કરતો આવ્યો છે. પણ આજની મુલાકાત પછી જે સમીકરણો બહાર આવ્યો છે તે જોતા આવનારા દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલ પુથલ થવાની છે તે વાત પાક્કી છે.