For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ: ટિહરીમાં આભ ફાટતા 3ના મોત, હજી 9000 ફસાયેલા છે

|
Google Oneindia Gujarati News

દેહરાદૂન, 25 જૂન : ઉત્તરાખંડમાં હજી તો પહેલા આવેલી વિપદાથી ઉભરી શકાયું નથી અને ત્યાં જ ફરી દેવપ્રયાગમાં ફરી વાદળ ફાટવાની ઘટના આજે ઘટી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ઉત્તરાખંડના દેવપ્રયાગમાં આજે સવારે સાઢા છ વાગ્યે ફરી વાદળ ફાટવાની ઘટના ઘટી હતી.

વાદળ ફાટવાની આ ઘટના લગભગ સવારે સાડા છ વાગ્યે ઘટી જેના કારણે ત્રણ લોકો તણાઇ ગયા છે અને કેટલાંક મકાનોના ધ્વસ્ત થવાના સમાચાર પણ આવી રહ્યા છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થઇ ગયા છે.

uttarakhand
રૂદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશીમાં ભારે વરસાદ થઇ રહી છે જેના કારણે ભેખડ ધસવાની ઘટના પણ ઘટી રહી છે. જેના પગલે બચાવકામગીરી પ્રભાવિત થઇ છે, હાલમાં રાહતકામગીરીને બંધ કરી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે 17 જૂનથી ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ગૌરીકૂંડમાં વાદળ ફાટી ગયું હતું, જેના કારણે ત્યાં હજારો લોકો ફસાઇ ગયા છે.

હવામાન પણ બચાવકામગીરીમાં અડચણ પેદા કરી રહ્યું છે. ભારતીય સેના અત્રે રાહત બચાવ કાર્યમાં લાગેલી છે, સોમવારે રાત્રે જ ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઇ રહી છે. હજી પણ ઉત્તરાખંડમાં 10 હજાર લોકો ફસાયેલા છે અને તેમને ત્યાંથી બહાર કાઢવામાં હજી કેટલા દિવસ લાગશે તે કહી શકાય તેમ નથી.

English summary
Heavy rain hampers rescue operations, 9000 still stranded in Uttarakhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X