શંકરાચાર્યનો મંત્ર: મોદીને ફરી PM બનાવવા દસ બાળકો પેદા કરો
લખનઉ, 18 જાન્યુઆરી: હિન્દુઓને વધારે બાળકો પેદા કરવાના વિવાદિત નિવેદનોમાં હવે જોશીમઠ ઉત્તરાખંડના જગદગુરુ સ્વામી વાસુદેવાનંદસરસ્વતીએ પણ ઝંપલાવ્યું છે. અલ્હાબાદમાં માઘ મેળામાં સંત સમ્મેલનમાં તેમણે ભાજપ સાંસદ સાક્ષી મહારાજના હિન્દુઓને ચાર-ચાર બાળકો પેદા કરવાના નિવેદનને સમર્થન આપ્યું અને જણાવ્યું કે ચાર-ચાર નહીં પરંતુ હિન્દુઓ દસ-દસ બાળકોને જન્મ આપે. એટલું જ નહીં તેમણે ફિલ્મ 'પીકે'ની વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કરવામાં આવેલી વ્યાખ્યા 'પાકિસ્તાની કુત્તા'ને પણ મંચ પરથી વાગોળી હતી.
સંગમની રેતી પર થઇ રહેલા સંત સમ્મેલનમાં જગદગુરુ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ હિન્દુઓને જણાવ્યું કે સરકાર બે બાળકો પેદા કરવાનું કહે છે, પરંતુ હિન્દુ સમાજના લોકો એક જ બાળક પેદા કરે છે, એવામાં તેઓ શું કરશે. એક બાળક નાતો દેશ સેવા ના કરી શકે અને ના માતાપિતાની સેવા કરી શકે. એવામાં હિન્દુઓએ દસ-દસ બાળકો પેદા કરે. તેમાંથી એકને આઇપીએસ બનાવો, બીજાને પીસીએસ, ત્રીજાને વ્યાપારી, કેટલાંકને ખેતીમાં લગાવો અને જેને ના પાળી શકો તેને સંતોના ત્યાં મોકલી આપો. તેઓ બાળકોની પરવરિશ કરીને દેશ સેવામાં લગાવી દેશે.
તેમણે દલિલ રજૂ કરતા જણાવ્યું કે જે ઝડપથી હિન્દુઓની વસ્તી ઓછી થઇ રહી છે અને અન્ય ધર્મના લોકોની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે, તેનાથી લાગે છે કે ભારત જેવા દેશમાં પણ હિન્દુ થોડા વર્ષો બાદ લઘુમતી થઇ જશે. શંકરાચાર્યએ ઘર વાપસી કાર્યક્રમ પર જણાવ્યું કે જે મરજીથી પોતાના જૂના ધર્મમાં પરત આવવા માંગતા હોય તેને ગંગાજળ પિવડાવીને લાવી શકાય છે.