For Daily Alerts
ઇન્ડિયન એરફોર્સનું એરક્રાફ્ટ એએન-32 થયું ગુમ, 29 લોકો હતા સવાર
ઇન્ડિયન એરફોર્સનું ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ એએન-32ના ગુમ થવાના સમાચારો મળ્યા છે. આ એરક્રાફ્ટ ચેન્નઇથી પોર્ટ બ્લેયર જવા રવાના થયું હતું. તેની અંદર 29 લોકો સવાર હતા.
આ એરક્રાફ્ટ સવારે 7:46 તાંબરમથી ટેક ઓફ થયું હતું. અને છેલ્લે તેને 8:46 મિનિટે રડાર પર જોવામાં આવ્યું હતું. આ એરક્રાફ્ટ બંગાળની ખાડી પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે તેણે છેલ્લી વાર રડાર સાથે પોતાનો સંપૂર્ક ગુમાવ્યો હતો. જે પછી તેની કોઇ જાણકારી પ્રાપ્ત નથી થઇ.
એએન-32 કુરિયર સર્વિસ માટે રવાના થયું હતું. ત્યારે ઇન્ડિયન એરફોર્સની બન્ને વિંગ જળ અને વાયુસેનાએ ભેગા મળીને એક જોઇન્ટ રેસ્ક્યૂ ઓપરેશન લોન્ચ કર્યું છે. અને વિમાનની શોધખાળ કરી છે.
Comments
English summary
An Indian Air Force AN-32 plane flying from Tambaram (Chennai) to Port Blair has gone missing.
Story first published: Friday, July 22, 2016, 14:21 [IST]