For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K: પુલવામામાં આંતકી અને સુરક્ષા દળોની અથડામણમાં 1 આંતકી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામાના પદમગોરામાં સુરક્ષા દળ અને આંતકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીર ના પુલવામાના પદમગોરામાં સુરક્ષા દળ અને આંતકવાદી ઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું છે.

આ વિસ્તારમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. સુરક્ષા દળો દ્વારા અવંતિપુરાના સમગ્ર વિસ્તારની આસપાસ ઘેરાબંધી કરવામાં આવી છે. સીઆરપીએફ તરફથી જાણકારી આપવામાં આવી છે કે, આ વિસ્તારમાં 4-5 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે.

અહીં વાંચો - કાનપુર છે આતંકવાદીઓના સ્લીપિંગ મોડ્યૂલનો નવો અડ્ડોઅહીં વાંચો - કાનપુર છે આતંકવાદીઓના સ્લીપિંગ મોડ્યૂલનો નવો અડ્ડો

આ પહેલાં શનિવારના રોજ જમ્મુ-કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં પણ સુરક્ષા દળો અને આંતકી વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં એક જવાન શહીદ થયો હતો તથા 2 આંતકીઓ ઠાર મરાયા હતા.

English summary
J&K: Terrorist reportedly killed in Pulwama encounter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X