J&K: પુલવામામાં આંતકી અને સુરક્ષા દળોની અથડામણમાં 1 આંતકી ઠાર
જમ્મુ-કાશ્મીરના પુલવામાના પદમગોરામાં સુરક્ષા દળ અને આંતકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે.
જમ્મુ-કાશ્મીર ના પુલવામાના પદમગોરામાં સુરક્ષા દળ અને આંતકવાદી ઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું છે.
Unconfirmed presence of 4-5 terrorists, operation on: CRPF on Pulwama (Padgampora, J&K) encounter (Visual deferred) pic.twitter.com/te2Jsn51Hx
— ANI (@ANI_news) March 9, 2017
આ વિસ્તારમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. સુરક્ષા દળો દ્વારા અવંતિપુરાના સમગ્ર વિસ્તારની આસપાસ ઘેરાબંધી કરવામાં આવી છે. સીઆરપીએફ તરફથી જાણકારી આપવામાં આવી છે કે, આ વિસ્તારમાં 4-5 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે.
અહીં વાંચો - કાનપુર છે આતંકવાદીઓના સ્લીપિંગ મોડ્યૂલનો નવો અડ્ડો
આ પહેલાં શનિવારના રોજ જમ્મુ-કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં પણ સુરક્ષા દળો અને આંતકી વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં એક જવાન શહીદ થયો હતો તથા 2 આંતકીઓ ઠાર મરાયા હતા.