કૈફિયત એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, 74 ઇજાગ્રસ્ત
કૈફિયત એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતર્યા. યુપીમાં આજમગઢથી દિલ્હી ટ્રેન સાથે ઐરેયામાં આ અકસ્માત થયો હતો.અક્સમાતમાં 74 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી હાલ મળી છે.
ઉત્તર પ્રદેશમાં એક જ મહિનામાં બીજી વાર રેલ્વે દુર્ધટના બની છે. પ્રાપ્ત જાણકારી મુજબ આજમગઢથી દિલ્હી જઇ રહેલી 12225 (અપ) કૈફિયત એક્સપ્રેસ ઔરેયાની પાસે માનવ રહિત ફાટક પર મોડી રાતે એક ડંપર જોડે અથડાઇ હતી. તે પછી ટ્રેનના એન્જિન સહિત 10 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં 74 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. જેમાંથી 21 લોકોની હાલત ગંભીર જાણવા મળી છે. તમામ ઇજાગ્રસ્તોને પાસેની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
જો કે હજી સુધી આ ઘટનામાં કોઇ વ્યક્તિની મૃત્યુ થઇ હોવાની ખબર નથી મળી. સૂચના મળતા જ દિલ્હીથી પણ મેડિકલ રિલીફ ટ્રેન પણ ત્યાં પહોંચી ગઇ છે. સાથે જ લખનઉથી એક એનડીઆરએફની ટીમને મોકલવામાં આવી છે. ઐરેયાના ડીએમ અને એસપી પણ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે. અને રાહત કાર્ય હાલ ત્યાં પૂરજોશમાં ચાલી રહ્યું છે.
#UttarPradesh: #LatestVisuals from Kaifiyat express derailment site near #Auraiya, 74 injured. Train derailed after colliding with a dumper pic.twitter.com/5sY7N4nNEu
— ANI UP (@ANINewsUP) August 23, 2017