ડૉ.કલામના અંતિમ સંસ્કાર આજે, નરેન્દ્ર મોદી પહોંચ્યા રામેશ્વર
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામની પાર્થિવ દેહનો આજે તેમના વતન રામેશ્વરમ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત અનેક જાણીતા રાજકારણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા.
ત્યારે તમિલનાડુના રામેશ્વરમાં મિસાઇલ મેનના અંતિમ સંસ્કાર પહેલા મોટી સંખ્યામાં લોકોએ તેમના પાર્થિવ દેહના દર્શન કર્યા. જેમાંથી મોટી સંખ્યામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ હતા.
નોંધનીય છે કે કલામના પાર્થિવ દેહને રામેશ્વરથી 12 કિલોમીટર દૂર મંડપમની પાસે પકારમ્બૂમાં દફનાવવામાં આવશે. નોંધનીય છે કે ડૉ. એપીજી અબ્દુલ કલામનું સોમવારે શિલાંગ ખાતે હદય રોગના હુમલાથી 84 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામની પાર્થિવ દેહનો આજે તેમના વતન રામેશ્વરમ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત અનેક જાણીતા રાજકારણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા.
ત્યારે તમિલનાડુના રામેશ્વરમાં મિસાઇલ મેનના અંતિમ સંસ્કાર પહેલા મોટી સંખ્યામાં લોકોએ તેમના પાર્થિવ દેહના દર્શન કર્યા. જેમાંથી મોટી સંખ્યામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ હતા.
નોંધનીય છે કે કલામના પાર્થિવ દેહને રામેશ્વરથી 12 કિલોમીટર દૂર મંડપમની પાસે પકારમ્બૂમાં દફનાવવામાં આવશે. નોંધનીય છે કે ડૉ. એપીજી અબ્દુલ કલામનું સોમવારે શિલાંગ ખાતે હદય રોગના હુમલાથી 84 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું.