'મેડ ઇન ઇન્ડિયા લેબલથી વિશ્વાસ પેદા થવો જોઇએ'
ભારતમાં ઝિમ્બાવ્વેના રાજદૂત જોનાથન વુતાવુનાશેએ કહ્યું કે, ભારત-આફ્રિકા આર્થિક સંબંધોમાં જાગરુકતા એક મોટો મુદ્દો છે. વુતાવુનાશેએ કહ્યું કે જો બન્ને ક્ષેત્રોમાં જાગરુકતા વધારવામાં આવે તો આફ્રિકા અને ભારત વચ્ચે સીધો વ્યાપાર થઇ શકે છે. આફ્રિકા અને ભારત વચ્ચે સૂચના અને જાગરુકતાના અભાવથી દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ બાધીત થઇ શકે છે.
તેમણે કહ્યું કે પહેલા બન્ને ક્ષેત્રોમાં સંપર્કનો અભાવ હતો, પરંતુ સારી વાત એ છે કે આ અભાવ હવે દૂર થઇ રહ્યો છે. વુતાવુનાશે 10 વર્ષ પહેલા ભારત આવ્યા હતા. તેમણે કહ્યું કે ક્યારેક-ક્યારેક વ્યાપારી આફ્રિકામાં કારોબારને લઇને શંકા સાથે પ્રશ્નો કરતા હતા. ત્યારથી આજ સુધીમાં ઘણા બદલાવ થયા છે. તેમણે કહ્યું કે ભારત અને આફ્રિકા વચ્ચે આર્થિક સંબંધ મજબૂત થઇ રહ્યાં છે અને જો પ્રયત્નો કરવામાં આવે તો સીધા વ્યાપારમાં વધુ વૃદ્ધિ થઇ શકે છે.
તેમણે કહ્યું કે ગત મહિને ભારત-આફ્રિકા પરિયોજના ભાગીદારી પર સીઆઇઆઇ-એક્સિમ બેન્ક સંમેલનમાં ઘણો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે, સંમેલનમાં ઘણા સહમતિ પત્રો પર હસ્તાક્ષર થયા. જેમાં ઘણો ફેર પડ્યો છે. આ વીઝા આવેદનો પર જોવા મળી રહ્યું છે. ભારત અને આફ્રિકા વચ્ચે 2000માં જ્યાં પાંચ અરબ ડોલરનો વ્યાપાર થતો હતો, ત્યાં 2011-2012માં વધીને 60 અરબ ડોલરનો વ્યાપાર થયો છે અને 2015માં તે 100 અરબ ડોલર થઇ જવાની સંભાવના છે. રાજદૂતે કહ્યું કે આફ્રિકામાં 54માંથી મોટાભાગના દેશોમાં શ્રેષ્ઠ અવસરો છે અને ભારતીય કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવવો જોઇએ.