For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંહોના મોત બાદ સફાળું જાગેલું તંત્ર સાસણગીરમાં મૂકશે CCTV

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સિંહોના મોત બાદ સફાળું જાગેલું તંત્ર સાસણગીરમાં મૂકશે CCTV

સિંહોના મોત બાદ સફાળું જાગેલું તંત્ર સાસણગીરમાં મૂકશે CCTV

ગુજરાતના સાસણગીરમાં વસવાટ કરતા એશિયાટીક સિંહોની આગવી ઓળખ છે જો કે છેલ્લા ત્રણ વર્ષમાં 245 સિંહોના મોત થતા સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે. સિંહોના થતા મોત અંગે આખરે સરકાર મોડેમોડે જાગી હોય તેમ સિંહોના મોત કયા કારણસર થાય છે તેમજ સાવજના મોતને નિયંત્રણ લાવવા સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. આ મહત્વની કામગીરી વર્ષ ૨૦૧૬-૧૭માં પૂર્ણ કરવામાં આવશે. સિંહોના મોતનું ચોક્કસ કારણ જાણવા સરકારે પ્રથમ તબક્કામાં સાસણગીર નેશનલ પાર્કમાં પાંચ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવાનો નિર્ણય લીધો છે.

જૈન સાધ્વીનું અકસ્માતમાં મોત, પોસ્ટમોર્ટમ બાબતે હોબાળો

જૈન સાધ્વીનું અકસ્માતમાં મોત, પોસ્ટમોર્ટમ બાબતે હોબાળો

તારાપુર-વટામણ ધોરી માર્ગ ઉપર ટોલ ગામ નજીકથી જૈન સાધ્વીઓનો સંઘ વિચરણ કરી રહ્યો હતો. તે દરમિયાન કોઇ અજાણ્યા વાહને સાધ્વી દક્ષયશા મહારાજની વ્હીલચેર તથા તેમની સેવીકા જ્યોતિકા રાઠોડને પાછળથી અડફેટે લેતા બંને સાધ્વીજીઓ કાળધર્મ પામ્યા હતા. ત્યારે સાધ્વીજીના મૃતદેહના પોસ્ટમોર્ટમના મામલે સોમવારે ભારે હોબાળો મચ્યો છે. સાધ્વીજીના શરીર ઉપર ચીરો મૂકવા બાબતે 70થી વધુ માણસના ટોળાએ પોસ્ટમોર્ટમ રૂમ આગળ હોબાળો મચાવી પોસ્ટ મોર્ટમ રૂમનો નકુચો તોડી નાખ્યો હતો. અને ડોકટર તથા પોલીસના કર્મચારી સાથે બોલાચાલી કરી હતી.

આનંદીબહેને કહ્યુઃ ગુજરાતમાં નથી થવાનું સત્તાપરિવર્તન

આનંદીબહેને કહ્યુઃ ગુજરાતમાં નથી થવાનું સત્તાપરિવર્તન

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના શાસનકાળના 2 વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો હતો ત્યારે રવિવારે તેમના કાર્યકાળના બે વર્ષ પૂણ થતા તેમણે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. આ સમયે પત્રકારોએ છેલ્લા કેટલાય દિવસીથી ચાલી રહેલી અટકળો વિશે પૂછ્યું હતું. જેમા આનંદીબહેને પ્રથમવાર સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાતમાં સત્તા પરિવર્તન નથી થવાનું. તેમણે પોતાની સરકારના 2 વર્ષને તેમણે સફળ ગણાવ્યા હતા, જેમાં નાગરિકોના સર્વાંગી વિકાસનો દાવો કર્યો હતો.

નર્સ ઉપર હોસ્પિટલમાં જ બોયફ્રેન્ડે કર્યો ઘાતકી હુમલો

નર્સ ઉપર હોસ્પિટલમાં જ બોયફ્રેન્ડે કર્યો ઘાતકી હુમલો

સુરતના વરાછા વિસ્તારના સરથાણામાં આવેલી રોયલ આર્કેડની ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતી મહિલા ઉપર તેના એક્સ બોયફ્રેન્ડે છરીના ઘા મારીને ઘાતકી હુમલો કર્યો હતો. મહિલા જ્યારે આજે સવારે આઠ વાગ્યે સાફ સફાઈ કરી રહી હતી ત્યારે યુવકે તેના ગળાના ભાગે આઠથી દસ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતાં. મહિલાની પરિસ્થિતિ ગંભીર ઝણાતા હાલ તેને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યાં મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં ટ્રાફિક જવાનના ગુપ્તાંગ ઉપર બાઇક ચાલકનો હુમલો

રાજકોટમાં ટ્રાફિક જવાનના ગુપ્તાંગ ઉપર બાઇક ચાલકનો હુમલો

ગુજરાત ભરમાં પોલીસ પર હુમલાની ઘટના વધી રહી છે આવો એક વધુ બનાવ રાજકોટમાં સામે આવ્યો હતો. રવિવારે મોડી સાંજે સેશન્સ કોર્ટ નજીક ફરજ બજાવી રહેલા ટ્રાફિક જવાન ઉપર એક બાઇક ચાલકે હુમલો કરીને ટ્રાફિક જવાનના ગુપ્તાંગ તથા મોં ઉપર ફટકા માર્યા હતા. 42 વર્ષીય ટ્રાફિક જવાન રાજેન્દ્રભાઇ મનસુખભાઇ ચાવડિયાએ બાઇક ચાલક પાસે લાઇસન્સ જોવા માંગ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. ગુપ્તાંગના ભાગે ઇજા થતા ટ્રાફિક જવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બનાવ બાદ હુમલાખોર ભાગી ગયો હતો. જોકે એ ડિવિઝનના ફોજદાર એલ.એલ.ચાવડા, શિવરાજસિંહ, હાર્દિકસિંહ સહિતના સ્ટાફે બનાવના બે કલાકની અંદર જેક્સન નામના હુમલાખોરને ઝડપી પાડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે 14 આની વરસાદ થવાનો વરતારો

સૌરાષ્ટ્રમાં આ વર્ષે 14 આની વરસાદ થવાનો વરતારો

ગરમીથી બેહાલ બનેલા ગુજરાત માટે આનંદના સમચાર છે કે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શકયતા છે અને વરસાદ મે મહિનાના અંતથી શરૂ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના વાતાવરણનાં અભ્યાસ બાદ તારણ રજૂ કરવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસાનો પ્રારંભ વહેલો થઈ જશે. સાત દિવસની વરસાદની હેલી જોવા મળશે. મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થશે. વર્ષે ૧૪ આની પસાર થશે. તા. ૨૭થી તા. ૨૯ મે સુધી રોહિણી નક્ષત્રમાં પવન સાથે વરસાદની શક્યતા છે.

Big Day: ઇસરોએ લોન્ચ કર્યું પહેલું મેડ ઇન ઇન્ડિયા સ્પેસ શટલ

Big Day: ઇસરોએ લોન્ચ કર્યું પહેલું મેડ ઇન ઇન્ડિયા સ્પેસ શટલ

આજે દેશ માટે ખુબ જ મોટો દિવસ છે. કારણ કે ભારતીય અંતરીક્ષ શોધ સંસ્થાનને આંદ્રના શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી સવારે 7 વાગે ભારતનું પહેલું સ્પેશ શટલ RLV-TD લોન્ચ કરવામાં આવ્યું છે. આ શટલ સંપૂર્ણ પણે ભારતમાં બન્યું છે. અને હવે તેની સફળતા બાદ ભારત સેટેલાઇટને રી લોન્ચ કરી શકશે.

English summary
may 23 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X