For Quick Alerts
For Daily Alerts
પીએમ મોદીની આજે સવારે 11 વાગે રેડિયો પર ‘મન કી બાત’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર આજે 25 મી વાર ‘મન કી બાત’ માધ્યમથી દેશને સંબોધન કરશે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર આજે 25 મી વાર 'મન કી બાત' માધ્યમથી દેશને સંબોધન કરશે. આ કાર્યક્રમ સવારે 11 વાગે આકાશવાણી અને દૂરદર્શનની બધી ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી રેડિયો પર દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમ દ્વારા જુદા જુદા મુદ્દાઓ પર વાત કરે છે. આ વખતે મોદી દિવાળીના અવસરે દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત જવાનોના મનોબળ અંગે વાત કરશે. આ પહેલા પણ પીએમ મોદીએ નરેન્દ્ર મોદી એપ પર આપણા જવાનોને દિવાળીનો સંદેશ મોકલવાની અપીલ કરી હતી.
Comments
English summary
Modi on radio at 11 o’clock for man ki bat
Story first published: Sunday, October 30, 2016, 10:02 [IST]