મોહરમ કેમ એક તહેવાર નહિ પણ માતમનો દિવસ છે?
" મોહરમ " કોઇ તહેવાર નહિ પણ મુસ્લિમોના શિયા સમુદાય માટે એક માતમનો દિવસ છે, જેને તેઓ ઇમામ હુસેનના શોકમાં મનાવે છે.
આવો જાણીએ આ પર્વની ખાસ વાતો...
ઇસ્લામી કેલેંડર અનુસાર " મોહરમ " મહિનાની પહેલી તારીખે મુસલમાનોનું નવુ વર્ષ હિજરી શરુ થાય છે.
ઇસ્લામી કે હિજરી કેલેંડર એક કેલેંડર છે, જે માત્ર મુસ્લિમ દેશોમાં જ વપરાશમાં નહિ પરંતુ દુનિયાભરના મુસલમાનો ઇસ્લામિક ધાર્મિક તહેવારો મનાવવાનો યોગ્ય સમય જોવા માટે વાપરે છે.
આ મહિનાને ઇસ્લામના ચાર પવિત્ર મહિનામાંનો એક ગણવામાં આવે છે. અલ્લાહના રસૂલ હજરત મોહમ્મદે આ મહિનાને અલ્લાહનો મહિનો ગણાવ્યો છે. સાથે જ આ મહિનામાં રોજા રાખવાનો મહિમા પણ બતાવ્યો છે.
ઇતિહાસ
મોહરમનુ ઇસ્લામ ધર્મમાં ખૂબ મહત્વ છે. સન 680 માં આ મહિનામાં કર્બલા નામક સ્થાનમાં એક ધર્મ યુદ્ધ થયુ હતુ, જે પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના નાતી અને યજીદ (પુત્ર માવિયા પુત્ર અબુસુફિયાન પુત્ર ઉમેસ્યા) વચ્ચે થયુ હતુ.
આ ધર્મ યુદ્ધમાં હજરત સાહેબની જીત થઇ હતી.
પરંતુ યજીદના કમાંડરે હજરત ઇમામ હુસેન અને તેમના બધા 72 સાથિઓ (પરિવારજનો) ને શહીદ કરી દીધા હતા. જેમાં છ મહિનાનો પુત્ર હજરત અલી અસગર પણ હતો.
ત્યારથી દુનિયાના તમામ મુસલમાનો આ મહિનામાં ઇમામ હુસેન અને તેમના સાથિઓની શહાદતના શોકમાં તેમને યાદ કરે છે.