તબીબી સંશોધનમાં ભારત પાછળ રહી ગયું છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 20 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું કે ભારત તબીબી ક્ષેત્રમાં શોધના મામલામાં પાછળ જઇ રહ્યો છે. આ દિશામાં વધારે કામ કરવાની જરૂરીયાત છે.
મોદીએ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એઇમ્સ)ના 42માં પદવીદાન સમારંભમાં જણાવ્યું કે 'ભારત તબીબી ક્ષેત્રમાં શોધના મામલામાં પાછળ જઇ રહ્યો છે અને આ દિશામાં ખૂબ જ સંશોધન કરવાની જરૂરીયાત છે. આપણે શોધ, ખાસ કરીને કેસ હિસ્ટ્રી પર ધ્યાન આપવાની જરૂરીયાત છે. આ માનવતા માટે ખૂબ જ મોટું યોગદાન બની રહેશે.' વડાપ્રધાને પદવીદાન સમારંભમાં ખાસ અતિથિઓને આમંત્રિત કરવાનું સૂચન આપ્યું.
સભાગૃહમાં તાળીઓના ગડગડાટની વચ્ચે મોદીએ જણાવ્યું કે 'આ વિદ્યાર્થીઓની વચ્ચે ઉત્સુકતા પેદા કરશે, તેમને સપના જોવામાં મદદ કરશે જેનો મોટો પ્રભાવ પડશે.'
વડાપ્રધાને જણાવ્યું કે એઇમ્સમાં આપ ખૂબ જ સુરક્ષિત હતા. અત્રે આપની મદદ માટે વરિષ્ઠ વિદ્યાર્થીઓથી લઇને શિક્ષકો બધા હતા. પરંતુ હવે આપ મોટી કક્ષાઓમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છો, જ્યાં આપે આપના નિર્ણય જાતે લેવા પડશે.
I
was
never
a
good
student,
nor
did
I
get
a
chance
to
receive
an
award:
PM
Modi
at
AIIMS
convocation
function
pic.twitter.com/p4awxj6Glx
—
ANI
(@ANI_news)
October
20,
2014
વડાપ્રધાને સંબોધનના સમાપનમાં જણાવ્યું કે ''તેમને સમજાતુ નથી કે તેમને આ સમારંભમાં શા માટે આમંત્રિત કરવામાં આવ્યા, કારણ કે હું એક સારો દર્દી પણ નથી કે નથી કોઇ ડોક્ટર. મને આમંત્રિત કરવામાં આવ્યો કારણ કે હું વડાપ્રધાન છું. આ દેશનું દુર્ભાગ્ય છે કે અમે(રાજનેતા) દરેક જગ્યાએ છીએ.''