નાસિક-કુંભ મેળો 2015 બન્યો 'સ્વચ્છ હરિત કુંભ', જુઓ તસવીરો
નાસિક, 16 જુલાઇ: મંગળવારે આસ્થાના પાવન પર્વ નાસિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળાની જોરદાર શરૂઆત થઇ, કુંભ મેળાના પહેલા દિવસે જ ગોદાવરી નદીમાં હજારો લોકોએ આસ્થાની ડુબકી લગાવી. આપને જણાવી દઇએ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ત્ર્યંબકેશ્વરમાં મેળાનું ઉદઘાટન કર્યું હતું, આ સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભ મેળાના દર્શન માટે પહોંચી રહ્યા છે. મેળાના ઉદઘાટન બાદ હજારો લોકોએ પવિત્ર સ્નાન માટે ગોદાવરી નદીમાં ડુબકી લગાવી.
આ સમયે લાગી રહ્યું છે કે નાસિકમાં કોઇ લગ્નનો માહોલ છે, આ વર્ષે કુંમ મેળાની થીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત મિશનના તર્જ પર સ્વચ્છ અને હરિત કુંભ રાખવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર સરકારે આ કુંભ મેળાના આયોજન પર 2,400 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, જેમાં ભારત અને દુનિયાના વિભિન્ન ભાગોથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે. આ 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં ચાર કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવું અનુમાન છે.
સ્વચ્છ અને હરિત કુંભ મેળાન નિહાળો તસવીરોમાં...
આસ્થાની ડૂબકી
પહેલા દિવસે પવિત્ર ગોદાવરી નદીમાં અત્યાર સુધી હજારો લોકોએ ડુબકી લગાવી છે.
શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક
કુંભ મેળો વિશ્વ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે, એટલા માટે અત્રે હજારો લોકો આવી રહ્યા છે.
હજારો શ્રદ્ધાળુ, સાધુ સંત
હજારો શ્રદ્ધાળુ, સાધુ-સંત, વિભિન્ન વિભાગોના અધિકારી અને પ્રવાસીઓ દર 12 વર્ષે થતા આ મેળામાં પોતાની હાજરી આપશે.
2,400 કરોડ રૂપિયા
મહારાષ્ટ્ર સરકારે આ કુંભ મેળાના આયોજન પર 2400 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ચાર કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી આશા
આ મેળો 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં ચાર કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હજારો શ્રદ્ધાળુ, સાધુ સંત
હજારો શ્રદ્ધાળુ, સાધુ-સંત, વિભિન્ન વિભાગોના અધિકારી અને પ્રવાસીઓ દર 12 વર્ષે થતા આ મેળામાં પોતાની હાજરી આપશે.