એટીએમ પર આજથી મળશે 2000 ની નોટ, આરબીઆઇએ કર્યુ મોટુ એલાન
આજથી કેટલાક એટીએમ પર 2000 ની નોટ મળવાની શરુ થઇ જશે. દેશમાં એટીએમથી 2000 ની પહેલી નોટ ભોપાલમાં રામચંદ્ર રાવ નામના એક વ્યક્તિને મળી...
નોટબંધીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર છે કારણકે આજે દેશના કેટલાક એટીએમ પર 2000 ની નોટ મળવાની શરુ થઇ જશે. બેંકો તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેમને હેરાન થવાની જરુર નથી, ધીરજથી કામ લો.
પીએમ મોદીએ પણ સ્વીકાર્યુ છે કે હાલમાં દેશની આમ જનતા ખરેખર હેરાન થઇ રહી છે. તેમણે દેશવાસીઓને વચન આપ્યુ છે કે આ તકલીફો બસ થોડા દિવસની જ છે ત્યારબાદ બધુ ઠીક થઇ જશે. જો કે તેમણે ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો સુધી રોકડ રકમ પહોંચાડવાનુ સુનિશ્ચિત કરવા માટે બેંકોમાંથી રોકડ ઉપાડવાની મર્યાદા વધારીને બેંકોમાં એકથી વધુ વાર આવવાની અને પોસ્ટની શાખાઓ દ્વારા પૈસા વિતરણ કરવાની મર્યાદા વધારી દીધી છે.
બેંકમાંથી એક સપ્તાહમાં પૈસા ઉપાડવાની મર્યાદા 20,000 રુપિયાથી વધારીને 24,000 રુપિયા કરી દેવામાં આવી છે અને આ બધા ઉપરાંત આરબીઆઇએ એક મોટુ એલાન પણ કર્યુ છે. તેણે બધી બેંકોને આદેશ કર્યો છે કે તે એટીએમ ટ્રાંઝેક્શન પર લાગતો વધારાનો સરચાર્જ પણ ખતમ કરી દે.
નહિ લાગે હાલ સર્વિસ ચાર્જ
આ સૂચના બાદ બીજી બેંકના એટીએમમાંથી અને નિર્ધારિત એટીએમ ટ્રાંઝેક્શન લિમિટ બાદ લાગતો વધારાનો ચાર્જ હવે 30 ડિસેમ્બર, 2016 સુધી ગ્રાહકો પાસેથી લેવામાં આવશે નહિ.