ભારતમાં મહિલાઓના બ્રેસ્ટ કેન્સરથી વધારે મોત થાય છે: શોધ
નવી દિલ્હી, 29 મે: એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે, જેમાં મહિલાઓના સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા અધ્યયનમાં ખુલાસો થયો છે કે ભારતમાં આ સમયે સૌથી વધારે મહિલાઓ સ્તન કેન્સરનો શિકાર થઇ રહી છે અને તેના કારણે તેમના મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે.
થોડા સમય પહેલા સુધી મહિલાઓ ગર્ભાશયના કેન્સરથી એટલે કે સર્વાઇકલ કેન્સરની શિકાર થતી હતી પરંતુ આ સમયે દેશમાં બ્રેસ્ટ કેન્સરના કેસો વધારે જોવા મળી રહ્યા છે એક સારા સમાચાર નથી.
આ સંશોધન 'ધ ગ્લોબલ બર્ડન ઓફ કેન્સર 2013'માં પ્રકાશિત થયું છે... જેના આંકડા નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે...
1.
ભારતમાં વર્ષ 2013 સુધી સર્વાઇકલ કેંસરથી વધારે મહિલાઓના મોત થતા હતા.
2.
વર્ષ 2014-15ના આંકડા કહે છે કે હવે મહિલાઓ બ્રેસ્ટ કેંસરની શિકાર થઇ રહી છે.
3.
ભારતમાં ઇ.સ. 1990માં 34,962 મહિલાઓની સર્વાઇકલ કેંસરના કારણે મોત થયું હતું.
4.
2013માં 40,985 મહિલાઓ સર્વાઇકલ કેંસર અને 47,587 મહિલાઓ સ્તન કેંસરની શિકાર થઇ રહી છે.
.5
અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે બ્રેસ્ટ કેંસરમાં વધારો મહિલાઓની બગડેલી લાઇફસ્ટાઇલ કારણભૂત છે.
6.
અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે બ્રેસ્ટ કેંસરથી બચવા માટે મહિલાઓને 35-50 વર્ષના વચ્ચે પોતાના વજન પર ધ્યાન રાખવું જોઇએ.
7.
દારૂ અને સિગરેટથી પણ દૂર રહેવાની સલાહ પણ મહિલાઓને આપવામાં આવી છે.