For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધર્મ પરિવર્તનનો ખૂલ્યો ભાવ, ખ્રિસ્તીઓને 5 લાખ, મુસલમાનોને 2 લાખ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 11 ડિસેમ્બર: સબકા સાથ સબકા વિકાસનો નારો બુલંદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રની સત્તા પર કાબિજ થઇ છે. પરંતુ ફક્ત છ મહિનાની અંદર ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાનના વિકાસના એજંડાથી બીજો ઇતર એક નવો એજંડા શરૂ થઇ ગયો છે, તે છે ધર્માંતરણ. જી હાં ખ્રિસ્તીઓને ધર્મ પરિવર્તન માટે 5 લાખ જ્યારે મુસલમાનોને ધર્મ બદલવા માટે 2 લાખ રૂપિયાનો ખુલ્લો ભાવ નક્કી છે.

ધર્મ જાગરણ મંચનો એક પત્ર સામે આવ્યો છે જેમાં આ સંગઠને એક લાખ ખ્રિસ્તી અને મુસલમાનોની ઘર વાપસીનું લક્ષ્ય રાખ્યું છે. ધર્મ જાગરણ મંચના નેતા રાજેશ્વર સિંહે પોતાના પત્રમાં કહ્યું કે આ વર્ષે 1 લાખ લોકોની ધર વાપસી કરવામાં આવશે.

rss

તમને જણાવી દઇએ કે 25 ડિસેમ્બરના રોજ અલીગઢમાં આયોજિત થનાર કાર્યક્રમમાં પાંચ હજાર ખ્રિસ્તી અને મુસલમાન પરિવાર ધર્મ પરિવર્તન કરશે. આ કાર્યક્રમ વિશે ધર્મ જાગરણ મંચના નેતા રાજેશ્વર સિંહનું કહેવું છે કે આ કાર્યક્રમ ધર્મ પરિવર્તનનો નથી પરંતુ ઘર વાપસી માટે લોકોના સમ્માનનો કાર્યક્રમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગરામાં 200 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. તો બીજી તરફ આમાંથી કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે તેમને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. ત્યારબાદ આ મુદ્દા પર સંસદમાં બંને સદનોમાં જોરદાર હોબાળો થયો. તો બીજી તરફ આ મામલાના આરોપીઓ વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરી લીધી છે.

English summary
Open rate of conversion heats up the debate of forced conversion. Dharm jagran manch sets the target of 1 lac people for conversion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X