For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દ્વારકામાં મોદીએ પૂછ્યું, નસીબવાળો નેતા જોઇએ કે નસીબ વગરનો?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ દળોએ ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાના ડીડીએ મેદાનમાં એક રેલીને સંબોધિત કરતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો. રેલીમાં મોદીએ ખુદને અસલી દ્વારકાવાળા જણાવ્યું. મોદીએ જણાવ્યું કે તેઓ અસલી દ્વારકાવાળા છે.

મોદીએ કોંગ્રેસ અને આપ પર નિશાનો સાધતા જણાવ્યું કે દિલ્હીમાં બે પાર્ટીઓ ભાજપની વિરુદ્ધ લડી રહી છે. જો સરકાર બનાવવા માટે પર્દાની પાછળથી સાંઠગાંઠ કરે છે. મોદીએ જણાવ્યું કે બંને દળોમાં મીડિયામાં સ્થાન બનાવવા માટે પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. બંને દળ ભાજપ પર ખોટા આરોપ લગાવીને સનસની ફેલાવી મીડિયામાં સ્થાન બનાવવા ઇચ્છે છે.

narendra modi
કેજરીવાલ પર નિશાનો સાધતા મોદીએ જણાવ્યું કે ભાગવાથી કામ નથી ચાલતું. સરકાર ચલાવવું પણ જવાબદારીનું કામ હોય છે. એટલા માટે આ વખતે દિલ્હીને જવાબદાર અને સંવેદનશીલ સરકાર માટે ભાજપને વોટ આપે.

કોંગ્રેસ પર નિશાનો સાધતા મોદીએ જણાવ્યું કે દિલ્હીમાં પાણીની સમસ્યાનું હલ ભાજપે કર્યું. જ્યારે હરિયાણા અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસે દિલ્હીના પાણીની સમસ્યાને હલ કેમ ના કરી. મોદીએ જણાવ્યું કે અમે દિલ્હીવાસીઓને લોકસભા ચૂંટણીમાં હરિયાણાથી દિલ્હીને પાણી અપાવવાનું વચન આપ્યું હતું, તે અમે પૂરું કર્યું. હવે દિલ્હીવાળાને હરિયાણાથી પાણી મળી રહ્યું છે.

મોદીએ જણાવ્યું કે જો તેમના નસીબથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થયા તો પછી જનતાને બદનસીબ કેમ જોઇએ? મોદીએ રેલીમાં લોકોને પૂછ્યું 'શું ડીઝલ અને પેટ્રોલના ભાવ ઓછા થયા કે નહીં? શું આપના ખિસ્સામા રૂપિયા બચ્યા કે નહીં? મોદીએ જણાવ્યું કે અમારા વિરોધી કહે છે કે નરેન્દ્ર મોદી નસીબવાળો છે, એટલા માટે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઇ ગયા તો ભાઇ જો મોદીનું નસીબ દેશની જનતા માટે કામ આવે છે તો તેનાથી વાધારે સારી વાત શું હોઇ શકે? આપને નસીબવાળો નેતા જોઇએ કે નસીબ વગરનો?'

મોદીએ જણાવ્યું કે જેને દેશની નીતિ માલૂમ હોય છે તેના માટે વિદેશ નીતિમાં મુશ્કેલી નથી થતી. મોદીએ જણાવ્યું કે જ્યારે તેઓ દેશની બહાર જાય છે તો મોદીના નામથી નથી મળતા, પરંતુ સવા સો કરોડ દેશવાસીઓના પ્રતિનિધિ તરીકે મળે છે. મોદીએ જણાવ્યું કે દિલ્હીને પૂર્ણબહુમતની સરકારની જરૂરત છે ત્યારે જ દિલ્હીનો વિકાસ થઇ શકે છે. દિલ્હીને આગળ વધારવું હોય તો પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવવી જરૂરી છે.

English summary
PM Modi address rally in dwarka, New delhi, attacked on AAP and Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X