વારાણસીમાં જ્યારે પોતાનું ટિફિન લઇને પહોંચ્યા મોદી..
વારાણસીમાં બૂથ કાર્યકર્તાઓની મીટિંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ટિફિન લઇને પહોંચ્યા હતા અને પાર્ટીના નેતાઓ સાથે તેમણે કાર્યક્રમ સ્થળે જ ભોજન લીધું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોટબંધીના નિર્ણય બાદ ગઇ કાલે પહેલી વાર વારાણસીની મુલાકાતે ગયા હતા અને આ દરમિયાન તેમણે પાર્ટીના બૂથ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે એક રસપ્રદ ઘટના એ બની કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એક સાધારણ કાર્યકર્તાની માફક પોતાનું ટિફિન સાથે લઇને આવ્યા હતા, તેમણે કાર્યક્રમના સ્થળે જ અન્ય નેતાઓ સાથે ભોજન લીધું હતું.
અહીં વાંચો - રાહુલ ગાંધી: PM મોદીની નોટબંધી છે, આર્થિક લૂંટ
વારાણસીમાં લગભગ 20 હજારથી વધુ બૂથ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાને જાતે પોતાનું ટિફિન ખોલ્યું અને ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રસાદ મૌર્યા સાથે ભોજન લીધું. એ પ્રસંગની ઉપરોક્ત તસવીર સોશિયલ મીડિયા પર મુકવામાં આવી છે, જે ખૂબ વાયરલ પણ થઇ છે.
અહીં નરેન્દ્ર મોદીએ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમ માટે તમામ કાર્યકર્તાઓને પોતાનું ખાવાનું જાતે લાવવાની સૂચના આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ પોતાને પણ પાર્ટીના એક કાર્યકર્તા જ જણાવી, તેઓ પોતાનું ભોજન સાથે લઇને આવ્યા હતા.
અહીં વાંચો - હાર્દિક પટેલ થયો મુક્ત પણ, અરવિંદ કેજરીવાલ છે નાખુશ
PM Shri @narendramodi interacted & had lunch with more than 26,000 booth workers belonging to over 1700 booths in Varanasi today. pic.twitter.com/DmOB2Ykrfp
— BJP (@BJP4India) December 22, 2016
ઉત્તરપ્રદેશની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ ખૂબ મહત્વનો કહી શકાય. 16 કેમેરા દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમ રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેની સીડી પ્રદેશના તમામ સાંસદો, વિધાયકો અને પાર્ટીના કાર્યકર્તાઓને મોકલવામાં આવશે. આ આખી પ્રક્રિયાને આગામી ચૂંટણી માટેની રણનીતિ ગણવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી ખાતેની આ 11મી યાત્રા હતી અને આ યાત્રા દરમિયાન તેમણે અનેક યોજનાઓનું ઉદઘાટન પણ કર્યું હતું.