For Quick Alerts
For Daily Alerts
યુપી ચૂંટણી પર નજર, લખનૌમાં દશેરા મનાવશે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે દશેરા દિલ્હીમાં નહિ પણ લખનૌમાં મનાવશે. આ માટે 11 ઑક્ટોબરે મોદી લખનૌમાં જશે. અને લખનૌના એશબાગમાં રામલીલા પણ જોવા જશે. 2014માં પીએમનો પદભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી દશેરા પર દિલ્હીમાં જ રહેતા આવ્યા છે.
કેજરીવાલ બન્યા પાકિસ્તાની મીડિયાના હીરો, જાણો કેવી રીતે?
જો કે પીએમ બન્યા બાદ આ પહેલી વાર મોદી દિલ્હીની બહાર દશેરા મનાવશે. જે જોતા યુપી ચૂંટણી પર પીએમ મોદીની નજર હોય તેવું લાગે છે. નોંધનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, જેઓ લખનૌથી જ લાંબા સમય સુધી સાંસદ ચૂંટાઇ આવતા રહ્યા છે, અને તે હંમેશા પોતાના સંસદીય ક્ષેત્ર લખનૌમાં જ દશેરા મનાવતા હતા. નોંધનીય છે કે યુપીમાં આવતા વર્ષે ચૂંટણી છે, આ ચૂંટણીને ભાજપ ઘણી ગંભીરતાથી લઇને ચાલી રહ્યો છે.
Comments
English summary
PM Narendra Modi will celebrate dussehra in lucknow.
Story first published: Tuesday, October 4, 2016, 17:09 [IST]