રાહુલ ગાંધી કરુણાનિધિના ખબર પુછવા ચેન્નઇ પહોંચ્યા
ડીએમકેના ચીફ કરુણાનિધિની તબિયત બગડતાં તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી ડીએમકેના ચીફ કરુણાનિધિને મળવા ચેન્નાઇ પહોંચી ગયા છે. હોસ્પિટલમાં કરુણાનિધિના ખબર અંતર પૂછી રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમની તબિયત હાલ સારી છે. અને તે જલ્દી જ ઘરે જઇ શકશે.
નોંધનીય છે કે જયલલિતા બાદ હવે ડીએમકેના ચીફ કરુણાનિધિની તબિયત કથળી છે અને તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કરુણાનિધિનની તબિયતને ધ્યાનમાં લેતા ડીએમકેની જનરલ બોડી મિટિંગ પણ સ્થગતિ કરવામાં આવી છે. ત્યારે રાહુલે તેમનું સ્વાસ્થ્ય જલ્દી જ સારું થઇ જાય તેવી કામના કરી છે.
Doctors say that he (Karunanidhi) will go home pretty soon. I said hello to him, Congress president has also sent her regards: Rahul Gandhi pic.twitter.com/q9JhiqwWsQ
— ANI (@ANI_news) December 17, 2016
નોંધનીય છે કે કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે હંમેશા સારા રાજકીય સંબંધો રહ્યાં છે. જયલલિતાના મૃત્યુ બાદ તમિલનાડુમાં જે સ્થિતિ સર્જાઇ છે, તેને જોતાં રાહુલ ગાંધીની આ મુલાકાત મહત્વપૂર્ણ છે.
I wanted to personally wish him a speedy recovery, happy to see that he is doing well: Rahul Gandhi after meeting ailing Karunanidhi pic.twitter.com/kygeiViODS
— ANI (@ANI_news) December 17, 2016