બાબરી કેસ: સુપ્રિમ કોર્ટે CBIની કાઢી ઝાટકણી
સુપ્રિમ કોર્ટે બાબરી મામલને વારંવાર ટાળવાના કારણે સીબીઆઇની આજે ઝાટકણી કાઢી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ રાષ્ટ્રીય મહત્વનો મુદ્દો છે.
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: સુપ્રિમ કોર્ટે બાબરી મામલને વારંવાર ટાળવાના કારણે સીબીઆઇની આજે ઝાટકણી કાઢી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ રાષ્ટ્રીય મહત્વનો મુદ્દો છે. પરંતુ સીબીઆઇ તેને લાંબુ ખેંચી રહી છે. સુપ્રિમ કોર્ટની આ ટિપ્પણી એવે વખતે આવી જ્યારે સીબીઆઇએ ગુરુવારે મામલાને ટાળવાની વાત કરી.
આ અંગે કોર્ટે જણાવ્યું કે સીબીઆઇને હવે અલગથી કોઇ સોગંદનામું દાખલ કરવાની પરવાનગી નહી આપવામાં આવે, અત્યાર સુધી જે દસ્તાવેજો આપવામાં આવ્યા છે તેના આધારે જ ચર્ચા કરવાની રહેશે. સાથે સાથે કોર્ટે જણાવ્યું કે સ્પેશિયલ કોર્ટ અને હાઇકોર્ટમાં આ મામલા સાથે જોડાયેલા બધા જ દસ્તાવેજ સુપ્રિમ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે.
સીબીઆઇએ ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી સહીત અન્ય ઘણા નેતાઓની સામે બાબરી મસ્જીદને ધ્વંસ કરવાના કાવતરું રચવાની ધારા 120 બી જોડવા માટે અરજી આપી હતી. આ મામલે વધુ સુનવણી 13 ફેબ્રુઆરીના રાજ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સામાન્ય ચૂંટણી આવી રહી છે જેના પગલે દરેક પક્ષ પોતપોતાની મતબેન્કની રાજનીતિમાં લાગી ગયા છે. અને એકવાર ફરી બાબરી મસ્જીદના સ્થાને રામમંદીર બનાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.