For Quick Alerts
For Daily Alerts
શાહરુખને વાનખેડે સ્ટેડિયમ આઇપીએલ મેચ વિવાદ મામલે મળી ક્લીનચીટ
બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન પર 2012 માં કે કે આર અને મુંબઇ ઇંડિયંસ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચમાં સિક્યોરિટી ગાર્ડ સાથે ગાળા-ગાળી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમને આ મામલે મુંબઇ પોલીસે ક્લીનચીટ આપી દીધી છે.
ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
5 વર્ષનો લાગ્યો હતો પ્રતિબંધ
આ ઘટના બાદ મુંબઇ ક્રિકેટ એસોસિએશને શાહરુખખાન પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. મુંબઇ પોલીસે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતને જણાવ્યું કે આ વિવાદમાં કોઇ " સંગીન " અપરાધ બનતો નથી.
આવી રીતે ફાઇલ થયો હતો કેસ
તે ઘટના બાદ સામાજિક કાર્યકર્તા અમિત મારુએ શાહરુખખાનની વિરુદ્ધ કેસ ફાઇલ કરાવ્યો હતો. જ્યારે જવાબમાં શાહરુખે વળતો કેસ ફાઇલ કરાવીને કહ્યું હતુ કે આઇપીએલ મેચમાં કે કે આરની જીત બાદ તેમના બાળકો અને અમુક દોસ્તો સ્ટેડિયમમાં આવ્યા તો ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે તેમને બહાર જવા કહ્યું.
Comments
shahrukh khan shah rukh khan bollywood ipl cricket mumbai police wankhede stadium mumbai controversy મુંબઇ પોલીસ શાહરુખ ખાન બોલીવૂડ આઇપીએલ ક્રિકેટ વાનખેડે સ્ટેડિયમ મુંબઇ વિવાદ
English summary
Shahrukh khan gets clean-chit from mumbai police in Wankhede brawl case.
Story first published: Wednesday, October 5, 2016, 14:49 [IST]