સાંઇ પૂજા વિવાદઃ શંકરાચાર્યે બોલાવી બેઠક
હરિદ્વાર,
29
જૂનઃ
સાંઇબાબાની
પૂજાને
લઇને
ઘમાસાણ
વધી
રહ્યું
છે.
કેન્દ્રીય
મંત્રી
ઉમા
ભારતીના
નિવેદનથી
નારાજ
શંકરાચાર્ય
સ્વામી
સ્વરૂપાનંદે
આજે
મામલાને
લઇને
પોતાના
હરિદ્વાર
સ્થિત
આશ્રમમાં
સાધુ-સંતોની
એક
મોટી
બેઠક
બોલાવી
છે.
બેઠકમાં
સાંઇ
બાબાની
પૂજાને
લઇને
વિચાર-મંથન
થશે.
તેમણે કહ્યું કે, ઉમા મંત્રી છે, ભગવાન નથી. તેમને જનતાએ શાસન કરવા માટે ચૂંટ્યા છે અને તે ધાર્મિક વ્યવસ્થાઓમાં દખલગીરી ના કરે. આ પહેલા ઉમા ભારતીએ હરિદ્વારમાં સાંઇ પૂજાને સમર્થન કરતા કહ્યું કે, તે પોતે પણ સાંઇ ભક્ત છે અને જો તેમના ભક્ત સાંઇને ભગવાન માને છે તો તેમાં ખોટું શું છે.
હવે કેન્દ્રીય જળ સંસાધન મંત્રીના નિવેદન પર શંકરાચાર્ય વિફર્યા છે. તેમણે ઉમા ભારતીની ગુરુ ભક્તિ સામે જ પ્રશ્નાર્થ કર્યો છે અને કહ્યું છેકે જે ગુરુ સ્વામી વિશ્વેશ તીર્થ પાસેથી દિક્ષા લીધી છે, તે સાંઇ પૂજાનો વિરોધ કરે છે. સનાતન પંરપરામાં સંન્યાસી ગુરુ ભક્ત હોય છે તો ઉમા કેવી રીતે સન્યાસી છે, જે પોતાના ગુરુના વિરુદ્ધમાં જઇ રહ્યાં છે.
શંકરાચાર્યે કહ્યું કે, હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં આચાર્ય ધાર્મિક વ્યવસ્થાને જુએ છે અને ઉમા જણાવે કે કયા આચાર્ય કહીં રહ્યાં છેકે સાંઇની પૂજા કરવી ઉચિત છે. તમને જણાવી દઇએ કે આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે દ્વારિકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે હિન્દુઓએ સાંઇની પૂજા ન કરવી જોઇએ.