શિવસેના-ભાજપ વચ્ચે સત્તામાં ભાગીદારી પર વાતચીત, 10 મંત્રીપદ આપવાની રજૂઆત!
મુંબઇ, 29 નવેમ્બર: મહારાષ્ટ્રમાં સત્તા દૂર ભાગીદાર ભાજપ અને શિવસેના ઘણા દિવસોની નારાજગી બાદ શુક્રવારે સત્તામાં ભાગીદારી પર વાત કરવા માટે તૈયાર થયા અને માનવામાં આવે છે કે ભાજપે શિવસેનાને સરકારમાં પાંચ કેબિનેટ અને એટલા જ રાજ્યમંત્રી પદ આપવાની માંગણી કરી છે.
ભાજપના નેતા ધમેન્દ્ર પ્રધાન અને ચંદ્રકાંત પાટીલ આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના ઘરે મળ્યા અને સત્તામાં ભાગીદારી પર ચર્ચા કરી. મહારાષ્ટ્રમાં 25 વર્ષ સુધી સત્તામાં ભાગીદારી બાદ ભાજપ અને શિવસેનાએ ઓક્ટોબરમાં રાજ્ય વિધાનસભા ચૂંટણીના ઠીક પહેલાં સીટ વહેંચણીને લઇને રસ્તા અલગ થયા હતા.
ભાજપના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું કે ભાજપે વાતચીતના પ્રથમ રાઉંડમાં પાંચ કેબિનેટ અને એટલા જ રાજ્યમંત્રી પદ શિવસેનાને આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય થયો છે કે અમે શિવસેનાને પાંચ કેબિનેટ અને પાંચ રાજ્ય પદની માંગણી કરશે. જ્યાં સુધી મંત્રાલયોનો પ્રશ્ન છે અમે માંગણી કરી શકીએ છીએ. પરંતુ હાં અમે સરકારી નિગમો (અધ્યક્ષતા)ની સંખ્યા પર વાત કરવા માટે ઇચ્છુક છીએ, જેની અમે શિવસેનાને ઓફર કરી શકીએ છીએ.
સૂત્રોએ જો કે શિવસેનાને આપવામાં આવનાર વિભાગોનો ખુલાસો કરવાની મનાઇ કરી દિધી. ઉલ્લેખનીય છે કે શિવસેનાએ પહેલાં ઉપ મુખ્યમંત્રી પદની માંગ કરી હતી, જેને ભાજપે નકારી કાઢી હતી. ભાજપ સરકારના સત્તામાં આવ્યાના લગભગ એક મહિના બાદ બંને પૂર્વ સહયોગીઓ વચ્ચે આ મુલાકાત થઇ છે. જો કે આ એક મહિનામાં બંને તરફથી નેતા એકબીજા પર આરોપ લગાવતાં રહ્યા. રાંકપાએ રાજ્યમાં ભાજપની અલ્પમત સરકારને શરત વિના સમર્થન આપવાની ઓફર કરી હતી, પરંતુ ભાજપ શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટીનું સમર્થન ન લેવાના પોતાના નિર્ણય પર અડગ રહી, જેનાપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દે નિશાન સાધ્યું હતું.
ભાજપ પર પોતાની વિખૂટી પડેલી વાતચીત કરવાનું ખૂબ દબાણ હતું કારણ કે જ્યારે તેને એનસીપી પાસે સમર્થન લેવાના સમાચાર આવી રહ્યાં હતા. સત્તારૂઢ પાર્ટીના ઘણા નેતાઓએ ગત પખવાડેથી આ વાતચીતની ભૂમિકા બનાવવાનું શરૂ કરી દિધું હતું, જ્યારે તેમને શિવસેનાને ભાજપનું નૈસર્ગિક ભાગીદર ગણાવ્યા. મુખ્યમંત્રી ફડણવીસે ગુરૂવારે કહ્યું કે પાર્ટી શિવસેનાની સાથે ફરી હાથ મિલાવવા માટે ઇચ્છુક છે. જો કે મુખ્યમંત્રીની આ ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ મૌન સાધી રાખ્યું અને એટલું જ કહ્યું કે તે ભાજપ સાથે પણ સાથે વાત કરશે, જ્યારે તે ઔપચારિક વાતચીત શરૂ કરશે.
ભાજપના એક વરિષ્ઠ નેતા કહી ચૂક્યા છે કે 30 નવેમ્બર અથવા એક ડિસેમ્બરના રોજ ફડણવીસના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. તેના એક અઠવાડિયા બાદ આઠ ડિસેમ્બરથી નાગપુરમાં નવી વિધાનસભાનું શિયાળુ અધિવેશન શરૂ થશે.