For Quick Alerts
For Daily Alerts
બેગલુરૂમાં આર્ટ ઑફ લિવિંગના માધ્યમથી શાંતિનો સંદેશ
બેંગલુરૂ, 20 ડિસેમ્બર: ભારત અને દુનિયાના તમામ દેશ આતંકવાદથી પરેશાન છે. આતંકવાદના આકાઓ લોકોના જીવ લઇને ખૌફનો માહોલ તૈયાર કરી રહ્યાં છે. જ્યાં ચારે તરફ અશાંતિ અને ખૌફનો માહોલ છે તો બીજી તરફ બેંગલુરૂમાં સ્નેહ મિલન સમારોહ હેઠળ લોકોને શાંતિ અને ભાઇચારાના પાઠ ભણાવ્યા.
આર્ટ ઑફ લિવિંગ હેઠળ બેંગલુરૂના ઇન્ટરનેશનલ સેંટરમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. શ્રી શ્રી રવિશંકરની અધ્યક્ષતામાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનમાં આર્ટ ઑફ લિવિંગના સંસ્થાપક ઉપરાંત કેટલાક મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મગુરૂઓએ ભાગ લીધો.
દેશની સાથે-સાથે વિદેશથી આવેલા મહેમાનોએ પણ સ્નેહ મિલનમાં આવીને લોકોને શાંતિ અને સહયોગનો સંદેશ આપ્યો. ખાસકરીને મધ્ય એશિયા અને યૂરોપથી આવેલા મહેમાનોએ આ સ્નેહ મિલન સમારોહમાં હોશેં હોશેં ભાગ લીધો.
Comments
English summary
Sneh Milan a multi-faith gathering to bring people together and spread the message of harmony and goodwill was hosted by the Art of Living at Bengaluru.
Story first published: Saturday, December 20, 2014, 14:02 [IST]