ISISએ આપી શ્રીશ્રી રવિશંકરને જાનથી મારવાની ધમકી
બેંગલુરુ, 29 માર્ચ: દુનિયાના સૌથી ખતરનાખ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરને જાનથી મારવાની ધમકી આપી છે. આ ધમકી તેમને એ સમયે આપવામાં આવી જ્યારે તેઓ મલેશિયામાં પોતાની એક શિબિરનું આયોજન કરી રહ્યા હતા.
મલેશિયાના પેનાંગમાં હોટલ જેનના મેનેજરને એક પત્ર મળ્યો, જેમાં આઇએસઆઇએસે સ્પષ્ટ ચેતાવણી આપી હતી કે જો હોટલ શ્રી શ્રી રવિ શંકરને પોતાના ત્યાં રોકાવા દેશે તો તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. તે જ કવરમાં એક પત્ર શ્રી શ્રીને જાનથી મારવાની ધમકી પણ લખવામાં આવી હતી.
બેંગલુરુ સ્થિત આર્ટ ઓફ લિવિંગ સેંટરની પીઆરઓ માનસી ધર્મરાજે જણાવ્યું કે મલેશિયામાં ચાલી રહેલ શિબિરમાં લગભગ 10 હજાર લોકોએ ભાગ લીધો. તે દરમિયાન ધમકી ભર્યા પત્રો મળ્યા. આ સંબંધમાં ભારતીય દૂતાવાસ અને સ્થાનીય પોલીસને સૂચિત કરી દેવામાં આવ્યા છે.
શ્રી શ્રી રવિશંકરને ધમકીભર્યા પત્રો...
ધમકીભર્યા પત્રો
આગળ તસવીરોમાં આપ એ પત્રોને જોઇ શકશો જેમાં શ્રી શ્રી રવિશંકરને ધમકી આપવામાં આવી છે.
આ પત્ર હોટલને મોકલવામાં આવ્યો
આ પત્રમાં હોટલને ધમકી આપવામાં આવી છે કે જો શ્રી શ્રી રવિશંકર અહીં રોકાયા તો પરિણામ ખરાબ આવશે.
હોટલને પત્ર
અરબી ભાષામાં હોટલને મોકવામાં આવેલ આ પત્રમાં સર કલમ કરતી તસવીરો પણ છે.
આઇએસઆઇએસનો પત્ર
આ પત્ર શ્રી શ્રીના નામથી મોકલવામાં આવ્યો છે. તેમાં સર કલમ કરતી તસવીરો પણ છે.
મલેશિયામાં કેમ્પ
મલેશિયામાં ચાલી રહ્યો છે શ્રીશ્રીનો કેમ્પ. આ કેમ્પ દરમિયાન મળી ધમકી.