જોધપુરના છોરાને સુષ્માએ આપ્યો ભરોસો, ચોક્ક્સ આવશે પાકિસ્તાની નવોઢા
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયાઓ માટે ઘણા ચર્ચામાં રહે છે. ટ્વીટરના માધ્યમથી તે લોકોની ફરિયાદો સાંભળે છે અને તરત જ તેનુ સમાધાન પણ કરે છે. શુક્રવારે તેમણે રાજસ્થાનના જોધપુરમાં રહેતા યુવકને ટ્વીટર પર ભરોસો આપ્યો કે તેની જેની જોડે સગાઇ થઇ છે તે પાકિસ્તાનમાં રહેતી યુવતીને વિઝા જરુર મળશે.
સર્જિકલ સ્ટ્રાઇક પછી બન્ને દેશોની રણનિતી શું છે જાણો અહીં..
સુષ્મા
સ્વરાજે
નરેશ
તેવાનીને
ટ્વીટર
પર
ભરોસો
આપ્યો
કે
આગલા
મહિને
તેની
મંગેતર
પ્રિયાને
વિઝા
જરુર
મળશે.
પ્રિયા
અને
તેના
પરિવારે
ત્રણ
મહિના
પહેલા
ભારતના
વિઝા
માટે
અરજી
કરી
હતી,
પરંતુ
હજુ
સુધી
વિઝા
મળ્યો
નથી.
નવેમ્બરમાં
છે
લગ્ન
નરેશ
અને
પ્રિયાના
લગ્ન
નવેમ્બરમાં
થવાના
છે.
પરંતુ
વિઝા
ન
મળવાને
કારણે
બંને
પરિવારોએ
નક્કી
કરેલા
સમયે
લગ્ન
થવાની
આશા
છોડી
દીધી
હતી.
ભારત-પાકિસ્તાન
વચ્ચે
વધી
રહેલા
તણાવને
કારણે
બંને
પરિવારો
ચિંતાગ્રસ્ત
હતા.
વિદેશમંત્રીએ ટ્વીટર પર આપ્યો જવાબ
27 વર્ષીય નરેશે ટ્વીટ કરીને વિદેશમંત્રીને અપીલ કરી હતી કે તેના લગ્ન સમયસર થઇ શકે તે માટે કરાંચીમાં રહેતી તેની મંગેતર અને તેના પરિવારને વિઝા આપવામાં આવે. નરેશને જવાબ આપતા સુષ્મા સ્વરાજે કહ્યું કે "તમે ચિંતા ન કરો, અમે વિઝા અપાવી દઇશુ."
કરાચીથી આવવા ઇચ્છે છે 15 જણ
જણાવવામાં આવી રહ્યુ છે કે પ્રિયાના પરિવારના આશરે 15 લોકો લગ્નમાં હાજર રહેવા કરાચીથી જોધપુર આવવા ઇચ્છે છે અને તેમણે વિઝા માટે એપ્લાઇ કર્યુ છે. નરેશે કહ્યુ કે વિદેશમંત્રીના ટ્વીટે તેને ઘણી રાહત આપી છે. હવે લગ્નમાં કોઇ મુશ્કેલી નહિ આવે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વિદેશમંત્રીએ ઑગસ્ટમાં પણ તત્કાલ વિઝા ઇશ્યૂ કરાવીને એક કપલની મદદ કરી હતી.