બિમાર સુષ્માએ ફરી કરી મદદ, દુબઇથી પાછો લાવ્યો ભારતીયને
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ફરી એક વાર દુબઇમાં ફસાયેલા એક ભારતીયની મદદ કરી. વધુ જાણો અહીં.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે દુબઇમાં ફસાયેલા એક ભારતીય વિષે સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરીને તેને પાછો ભારત લાવ્યો છે તેવી જાણકારી આપી છે. સાથે જ આ અંગે ભારતીય દૂતાવાસ જોડે રિપોર્ટ પણ માંગ્યો છે. આ વ્યક્તિનું નામ છે જગન્નાથ સેલ્વારાજ જે 48 વર્ષનો છે. તેને પાછલા બે વર્ષથી ભારત પરત ફરવા માટે ટિકીટ નથી મળી રહી. જે માટે તેને કોર્ટમાં કેસ પણ દાખલ કરી ચૂક્યો છે. તમિલનાડુના ત્રિરુચિરાપલ્લીમાં રહેતા જગન્નાથન નોકરી માટે દુબઇ ગયો હતો.
સેલ્વારાજે કોર્ટમાં લડાઇ તૈયાર શરૂ કરી જ્યારે તેની માતાની મોત પર તેની અંતિમ સંસ્કાર માટે જવા દેવામાં નહતો આવ્યો. એક ટિકટ ન મળવાના કારણે પાછલા લાંબા સમયથી તે એક પાર્કમાં ગરીબી અને બિમારીમાં દિવસો પસાર કરતો હતો. ત્યારે એમ્સમાં પોતાની કિડની ટ્રાંસપ્લાટ કરાવવા માટે દાખલ થયેલી સુષ્મા સ્વરાજે પોતાની બિમારી સાથે લડતા આ ફરજ પણ નીભાવી હતી અને આ અંગે ભારતીય દૂતાવાસ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. જે બાદ મંગળવારે સુષ્મા સ્વરાજે તે જાણકારી આપી કે જગન્નાથન સેલ્વરાજ ઘરે પાછો ફર્યો છે.
We have brought him back to India and sent him to his village. He went up and down to the court 20 times over a year. That made it 1000 Kms. https://t.co/UGxjGE1Uhf
— Sushma Swaraj (@SushmaSwaraj) December 6, 2016