For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કશ્મીરઃ બારામૂલામાં સુરક્ષદળો સાથેની લડાઇમાં 1 આતંકી ઠાર

બારામૂલા જિલ્લામાં મંગળવારની સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી લડાઇમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

જમ્મુના બારામૂલા જિલ્લમાં મંગળવારની સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી લડાઇમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. આ લડાઇ હજુ પણ ચાલુ જ છે, ઠાર મરાયેલા આતંકવાદી પાસેથી મોટા માત્રામાં હથિયાર અને દારૂ-ગોળાનો સામાન મળી આવ્યો છે.

army

કહેવામાં આવી રહ્યું છે કે, આ સ્થળે હજુ પણ 2 આતંકવાદીઓ છુપાઇને બેઠા છે, તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ પહેલાં 29 ડિસેમ્બરના એન્કાઉન્ટરમાં 2 સૈનિકો ઘાયલ થયા હતા.

ગયા વર્ષે 60 સૈનિકો શહીદ

  • વર્ષ 2016માં આંતેકવાદીઓ અને ઘુસણખોરોને કારણે બોર્ડરની પરસ્થિતિ ખરાબ થઇ હતી.
  • સેના મંત્રાલય અનુસાર સિઝફાયર વૉયલેશન, એન્કાઉન્ટર અને બોર્ડર પર વાબ આપવાની કાર્યવાહીમાં 2016માં ભારતના 60 જવાનો શહીદ થયા છે.
  • આ પહેલાં વર્ષ 2015માં 33 જવાનો શહીદ થયા હતા.
  • જ્યારે વર્ષ 2014માં આ આંકડો 32નો હતો.

English summary
One terrorist has been killed in an encounter with security forces at Baramulla district in Jammu and Kashmir. The security forces have recovered a huge cache of arms and ammunition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X