For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણતંત્ર દિવસ પર અસમમાં 2 વિસ્ફોટ, કોઇ જાનહાની નહીં

|
Google Oneindia Gujarati News

ગુવાહાટી, 26 જાન્યુઆરી: અસમના તિનસુકિયા જિલ્લાના દિગ્બોઇ શહેરમાં સોમવારે યુનાઇટેડ લિબરેશન ફ્રંટ ઓફ અસમના વાર્તા વિરોધી ધડના શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બે વિસ્ફોટ કર્યા, જોકે તેમાં કોઇ જાનહાનિ નથી થઇ. તિનસુકિયાના પોલીસ અધીક્ષક એપી તિવારીએ જણાવ્યું કે 'એક વિસ્ફોટ દિગ્બોઇ શહેરની સીમા પર થયો, જ્યારે અન્ય એક વિસ્ફોટ શહેરમાં એક કેનાલની પાસે થયો.'

blast
બંને બોમ્બ વિસ્ફોટ ઓછી તિવ્રતાનો હોવાના કારણે તેમા કોઇ પ્રકારનું નુકસાન નથી થયું અને કોઇ જાનહાની પણ નથી થઇ. ગણતંત્ર દિવસ પહેલા પોલીસે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા જાણકારી મળી હતી કે ગણતંત્ર દિવસ પર ઉગ્રવાદીઓ કેટલાંક વિધ્વંસક ગતિવિધિઓને અંજામ આપી શકે છે, ત્યારબાદ ખાસ પ્રકારે રાજ્યમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો.

પોલીસે ઉપરી અસમના જોહરાટ શહેરમાં સોમવારે એક તાત્કાલિક વિસ્ફોટક યંત્ર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 23 ડિસેમ્બરના રોજ અસમના શોણિતપુર, કોકરાઝાર અને ચિરાંગ જિલ્લામાં એનડીએફબી કાર્યકર્તાઓના જનસંહારમાં મહિલાઓ અને બાળકો સહિત 80 લોકોના મોત થઇ ગયા હતા. ત્યાર બાદ પોલીસ, સેના અને સુરક્ષા બળોએ રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાનોને ગતિ આપી હતી, ખાસ કરીને ભારત-ભૂતાન સીમા અને અસમ-અરુણાચલ પ્રદેશની સીમા પર.

English summary
Suspected militants from the anti-talks faction of the United Liberation Front of Asom Monday triggered two blasts near Digboi town in Tinsukia district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X