અખિલેશ-મુલાયમ વચ્ચે ચાલતા દગંલનો આવ્યો સુખદ અંત, થયા એક
છેવટે મુલાયમ અને અખિલેશ વચ્ચે થયું સમાધાન, વધુ વાંચો અહીં.
સમાજવાદી પાર્ટીમાંથી 6 વર્ષ માટે અખિલેશ યાદવને નીકાળવામાં આવ્યો છે. બાપ દ્વારા બેટાને નીકાળ્યા બાદ ઉત્તરપ્રદેશની મોટી પાર્ટી એવી સમાજવાદી પાર્ટીમાં આતંરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો હતો. પણ તે પછી હવે બન્ને વચ્ચે સમાધાન પણ થઇ ગયું છે. અખિલેશ યાદવે આજે તમામ વિધાયકો અને નેતાઓની એક બેઠક પોતાના ઘરે બોલાવી હતી. જેમાં વિધાયકોએ અખિલેશને સમર્થન આપ્યું હતું. પછી મુલાયમ સિંહ સાથે પણ અખિલેશે મુલાકાત કરી હતી. અને બન્ને સમાધાન કર્યું હતું. ત્યારે આ ઘટનામાં શું થઇ રહ્યું છે વિગતવાર જાણો અહીં...
2 PM: અખિલેશ યાદવ અને સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવની થઇ મુલાકાત. મુલાયમે અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવની હાકલપટ્ટી રદ્દ કરી. બન્નેને પાછા પાર્ટીમાં સમાવવામાં આવ્યા.
1 PM: અખિલેશ યાદવ સાથે બેઠક પછી તમામ વિધાયકોએ પોતાનું સમર્થન અખિલેશ યાદવને આપ્યું હતું અને કહ્યું હતું કે અમે નેતાજીની સન્માન કરીએ છીએ પણ રાજનીતિમાં તમારું નેતૃત્વ ઇચ્છીએ છીએ.
12 PM: આઝમ ખાને મુલાયમ સિંહ યાદવ જોડે બેઠક કરી જે બાદ તે અખિલેશ યાદવને પણ મળ્યા પહોંચ્યા હતા.