For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન: 10 રૂપિયાનો સિક્કો તમને દેશદ્રોહી બનાવી શકે છે...

|
Google Oneindia Gujarati News

વોટ્સઅપ અને ફેસબૂક પર છેલ્લા ઘણા સમયથી એવી અફવાહ ફેલાઈ હતી કે ભારતીય રિઝર્વ બેંકે 10 રૂપિયાના સિક્કા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેટલાક લોકોએ તો એ પણ કહ્યું કે 10 રૂપિયાના સિક્કા નકલી છે. પરંતુ હવે જો કોઈ પણ 10 રૂપિયાના સિક્કા લેવાની ના પાડે તો તેના પર આફત આવી શકે છે.

ઉત્તર પ્રદેશના બરેલીના પુલકિત શર્મા પાસે રૂ. 10ના સિક્કાના ઢગલા થઈ ગયાં છે. સિક્કા નહીં ચાલે તેવા વોટ્સએપમાં મેસેજ વાયરલ થયા બાદ લોકોએ આ સિક્કા લેવાનું બંધ કરી દીધું હતું. ત્યારે પીલભીતના ડીએમે કહ્યું કે 10નો સિક્કો લેવાની ના પાડનાર સામે દેશદ્રોહની કાર્યવાહી થઇ શકે.

money

ડીએમે કહ્યું કે 10 રૂપિયાનો સિક્કો રાષ્ટ્રીય કરન્સી છે. કોઈની પણ પાસે તેને ના લેવાનો અધિકાર નથી. કારણકે ભારત સરકાર તેને માન્યતા આપે છે. આરબીઆઇ ના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ ચલણને લેવાની ના પાડે તો તેના પર આઇપીસીની ધારા 124 મુજબ મામલો નોંધાઈ શકે છે.

English summary
You May face sedition case on refusing to take 10 rs coin
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X