વડાપ્રધાન મોદી પર લાલૂએ લગાવ્યા આ 10 આરોપ
નવી દિલ્હી, 22 ડિસેમ્બર: દિલ્હીમાં આજે હવામાનનો પારો ભલે 5 ડિગ્રી નીચો ગયો હોય, પરંતુ રાજકીય ગરમી પર તેની કોઇ અસર પડી નથી. કેન્દ્રની મોદી સરકાર વિરૂદ્ધ સોમવારે જંતર-મંતર પર આરજેડી, સપા અને જેડીયૂ સહિત 6 પાર્ટીઓ ધરણા પર બેસી અને એકબીજાના સુરમાં સુર મિલાવ્યો.
આ અવસર પર આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ પણ હાજર રહ્યાં અને તેમણે પોતાના અંદાજમાં મોદી સરકાર પર પ્રહાર કર્યો. લાલૂ પ્રસાદ યાદવે પોતાના સંબોધનમાં જનતા પરિવારની સાથે આવવાની વાત પણ કહી અને મુલાયમ સિંહને પોતાના નેતા ગણાવ્યા. તેમણે વારંવાર અચ્છે દિન, અચ્છે દિન કહી કહીને મોદી સરકાર પર નિશાન સાધ્યું.
લાલૂએ લગાવ્યા આ આરોપ
1- ચૂંટણી દરમિયાન મોદીજીએ કહ્યું હતું કે એક મહિનામાં કાળુનાણું લાવશે, દેશનું દેવું ઉતારશે અને 15-15 લાખ રૂપિયા એકાઉંટમાં જમા કરાવશે. કહો પૈસા ક્યાં ગયા. મોદીજીએ કહ્યું હતું કે અમે અમારી રીતે આવ્યા નથી ગંગાજીએ બોલાવ્યા છે. ખબર છે ને ગંગાજી ક્યારે બોલાવે છે.
2- મુસલમાનોને કોઇ માઇ નો લાલ દેશમાંથી બહાર કાઢી નહી શકે.
3- અચ્છે દિનનો વાયદો કર્યો હતો, હવે નોકરીઓ ક્યાંય ગઇ કહો.
4- છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, હવે આપણા બધા એક થઇશું, એક ઝંડો હશે.
5- મમતા બેનર્જીને બરબાદ કરવાનો પ્રયત્ન કરી રહી છે મોદી સરકાર.
6- મોદી સરકાર નિષ્ફળ ગઇ છે.
7- રામદેવ ક્યાં છે, તેમને કહો, નરેન્દ્ર મોદીનો હિસાબ ડગમગી રહ્યો છે. આવીને તેમનો હિસાબ-કિતાબ બરોબર કરાવો.
8- એક મહિનો થયો, બે મહિના થયા, છ મહિના થઇ ગયા, પૈસા ક્યાં છે, પૈસા લાવો.
9- આપણે બધા એક થઇ ગયા છીએ, લોકો જૂના દિવસોને ભૂલી જાય. મોદી મીડિયાના માધ્યમથી પ્રચાર કરી રહ્યાં છે, પરંતુ તે જાણતા નથી કે અમે લોકો કોણ છીએ. વધુ દિવસો સુધી અમે લોકો ચૂપ બેસીશું નહી.
10- નરેન્દ્ર મોદીએ 2 કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો, તેનું શું થયું. અચ્છે દિન, અચ્છે દિન.. ક્યાં ગય પૈસા, લોકોના એકાઉંટમાં પૈસા જમા કરાવો.