ગૂમ અલ્જીરિયાઇ વિમાનનો કાટમાળ માલીમાં મળ્યો, 116ના મોત
કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સવારે ગૂમ થયેલું અલ્જીરિયાઇ વિમાનનો કાટમાળ ફાસોની સરહદ પાસે માલીમાં મળ્યો છે. આ વાતની જાણકારી ફાસો સેનાના જનરલ ગિલબર્ટ ડિયાનડીરીએ મીડિયાને આપતા જણાવ્યું 'અમને અલ્જીરિયાઇ વિમાન મળી ગયુ છે, તેનો કાટમાળ શોધી લેવામાં આવ્યો છે, તે ફાસોની સીમાથી 50 કિલોમિટર ઉત્તરમાં મળ્યો છે. આ હિસાબે વિમાનમાં સવાર તમામ લોકો માર્યા ગયા છે.'
અત્રે નોંધનીય છે કે આગડૂગૂથી રવાના થયેલ આ વિમાન એએચ-5017 અલ્જીયર્સ જઇ રહ્યા હતા. ગુરુવારે સવારે વિમાન એએચ-5017ના ગાયબ થવાના સમાચાર રડારે આપ્યા હતા. એર અલ્જીરીનું એક વિમાન એએચ-5017 ઉડાન ભર્યાના 50 મિનિટ બાદ રડારથી ગાયબ થઇ ગયું હતું. આ વિમાનમાં 6 ક્ર્યૂ મેમ્બર સહિત 110 મુસાફરો સવાર હતા. વિમાનને છેલ્લીવાર ભારતીય સમય પ્રમાણે રાત્રે 1.50 મિનિટે રડાર પર જોવાયું હતું.
એ સમયે વિમાન પશ્ચિમી આફ્રીકાની પાસે હતું. સાચા સમય અનુસાર વિમાન સવારે પાંચ વાગ્યે જ અલ્જીરિયા પહોંચી જવાનું હતું. જાણકારી અનુસાર હવામાન ખરાબ હોવાના કારણે વિમાનને માર્ગ બદલવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ વિમાન રડારથી ગાયબ થઇ ગયું હતું અને ત્યારબાદ વિમાન ક્રેશ થઇ જવાના સમાચાર આવ્યા.
આ પ્રકારે વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થઇ જવાના કારણે લોકો ભારે શોકમાં છે અને તેમણે પોતાનું દુ:ખ ટ્વિટર પર વ્યક્ત કર્યું છે.