એર ઇન્ડિયાના વિમાનનું ટોરેન્ટોમાં ઇમરજન્સી લેન્ડિંગ
ટોરેન્ટો, 7 સપ્ટેમ્બર: શિકાગોથી દિલ્હી આવી રહેલા એક વિમાનમાં બેઠેલા યાત્રીઓના જીવ ત્યારે અદ્ધર થઇ ગયા જ્યારે ખબર પડી કે વિમાનની ટાંકીમાં તિરાડ પડી
ગઇ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઇ-126માં 342 યાત્રીઓ સવાર હતા. બાદમાં વિમાનનો માર્ગ બદલીને રસ્તો બદલીને તેને કેનેડાના ટોરેન્ટોમાં લેંડ
કરાવવામાં આવ્યું, ત્યારે જઇને યાત્રીઓએ રાહતના શ્વાસ લીધા. વિમાનમાં નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જીએ એમ સિદ્ધેશ્વર પણ હાજર હતા.
ખરેખર, શિકાગોથી દિલ્હી માટે ઉડાન ભર્યાને થોડા જ સમયમાં વિમાનમાં ગડબડ સામે આવવા લાગી. કહેવામાં આવી રહ્યું છે કે એન્જિનમાં લાગેલ કોમ્પ્રેસરથી મોટેથી આવવા લાગી.
બીજા સૂત્રો અનુસાર પરંતુ ઉડાન ભર્યાના 20 મિનિટ બાદ જ પાઇલટને એન્જિન ઓઇલ ઓછું થવાની ચેતાવણી મળવા લાગી. ત્યારબાદ પાઇલટે નજીકના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટેની પરવાનગી માગી અને પરવાનગી મળતા જ એરપોર્ટ પર વિમાનને લેન્ડ કરાવવામાં આવ્યું.
ફિલહાલ વિમાનના એન્જિનની તપાસ કરવામાં આવી રહી છે. ઠીક થયા બાદ વિમાન 3થી 4 કલાકમાં દિલ્હી માટે ફરી ઉડાન ભરી શકે છે.