ભારતની બૉર્ડર સીલ કરવાના નિર્ણયને ચીને કહ્યો મૂર્ખતાપૂર્ણ
ભારતના ગૃહમંત્રી રાજનાથસિંહે થોડા દિવસ પહેલા કહ્યું હતુ કે વર્ષ 2018 સુધી જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સાથે જોડાયેલ સીમાને સીલ કરી દેવામાં આવશે. ચીને આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ચીનનું કહેવુ છે કે ભારતનો આ નિર્ણય ઘણો મૂર્ખતાપૂર્ણ છે.
ચીન અને ભારતના સંબંધો પર થશે અસર
મંગળવારે ચીનના લીડિંગ થીંક ટેંક ઇંસ્ટીટ્યુટ ઇંટરનેશનલ શંઘાઇ એકેડમીમાં આંતરરાષ્ટ્ર્રીય બાબતોના વિશેષગ્ન હૂ ઝિયોંગે કહ્યું કે ભારતે આ એક મૂર્ખતાપૂર્ણ નિર્ણય લીધો છે. ઝિયોંગની માનીએ તો પાક સાથે જોડાયેલી સીમાને સીલ કરવાનો ભારતનો નિર્ણય ભારત અને ચીનના સંબંધો પર અસર કરશે. તેમનુ કહેવુ છે કે ચીન, પાકિસ્તાનને પોતાનો વિશ્વાસપાત્ર સાથી માને છે અને તેની સાથે ઘણા મહત્વપૂર્ણ રાજકીય સંબંધો ધરાવે છે.
શાંતિ પ્રક્રિયા થશે પ્રભાવિત
ગયા
શુક્રવારે
ગૃહમંત્રી
રાજનાથ
સિંહે
કહ્યું
હતુ
કે
ભારત
અને
પાકિસ્તાન
વચ્ચે
3,323
કિમી
લાંબી
સીમાને
ડિસેમ્બર
2018
સુધી
સીલ
કરી
દેવાશે.
ઝિયોંગની
માનીએ
તો
આ
નિર્ણયથી
ભારત
અને
પાક
વચ્ચેના
સંબંધો
વધુ
તંગ
થશે.
આ
તરફ
સદર્ન
એંડ
સેંટ્રલ
એશિયન
સ્ટડીઝ
ઇંસ્ટીટ્યૂટના
ડાયરેક્ટર
વાંગા
દેહુઆની
માનીએ
તો
ભારત
અને
પાક
વચ્ચેની
સીલ્ડ
બૉર્ડર
બંને
તરફથી
ચાલી
રહેલી
શાંતિ
પ્રક્રિયાને
ભંગ
કરવાનું
જ
કામ
કરશે.
ભારત-પાક વચ્ચે શીત યુદ્ધ જેવી સ્થિતિ
દેહુઆ કહે છે કે ભારતનો નિર્ણય બંને દેશો વચ્ચે શાંત યુદ્ધ દર્શાવવા માટે પૂરતો છે. આ ઉપરાંત કાશ્મીરમાં રહેતા લોકોની મુશ્કેલીઓ પણ વધશે. વળી, ચીન-ભારત-પાકિસ્તાન આ ત્રણેના સંબંધો વધુ દુવિધાજનક થઇ શકે છે.