Video: હાફિઝની ખુલ્લી ધમકી, શાંતિ માટે ભારતનો ખાતમો જરૂરી
નવી દિલ્હી, 13 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન બાંગ્લાદેશની આઝાદી માટે ભારતના ફાળા માટે ભારતના યોગદાન પર આપેલા નિવેદન બાદ પાકિસ્તાનમાં આતંકી આફિઝ સઈદ આકુળવ્યાકુળ થઇ ગયો છે.
સઈદ એટલી હદે ઉકળી ગયો છે કે તેણે ભારતની વિરુદ્ધ પોતાના હુમલાની વાત પણ કહી નાખી. સઈદે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતની સાથે વ્યાપાર સંબંધ તોડીને હવે સીધી વાત કરવી જોઇએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાંગ્લાદેશમાં આપવામાં આવેલા ભાષણનો હવાલો આપતા સઈદે જણાવ્યું કે પાકિસ્તાને મોદી અને ભારતની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સુધી અવાજ ઊઠાવવી જોઇએ. મોદીના નિવેદન બાદ બીજા કોઇ પુરાવાની જરૂરીયાત નથી રહેતી. સઈદે જણાવ્યું કે એશિયામાં શાંતિ માટે ભારતને ખતમ કરવું જ પડશે.
હાફિઝ સઈદે જણાવ્યું કે પાકિસ્તાને હવે ભારત સાથે વધારે વાતચીત બિલકૂલ પણ કરવી જોઇએ નહીં, પાણી હવે માથા પરથી નીકળી ચૂક્યું છે. શાંતિની સ્થાપના માટે ભારતી બલી ચડાવવી જરૂરી છે. તેણે જણાવ્યું કે ભારતને આતંકી ગણાવવા માટે તેની આર્થિક નીતિ જ પૂરતી છે.
જુઓ સઈદને કડવા વેણ વીડિયોમાં...