જાપાનના યોશિનોરી ઓહ્સુમીને મળ્યુ મેડિસીનનું નોબેલ
આ વર્ષના નોબેલ પુરસ્કારની ઘોષણા શરુ થઇ ચૂકી છે. સોમવારે મેડિસીન માટે જાપાનના બાયોલોજીસ્ટ યોશિનોરી ઓહસુમીને નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી.
શું છે ઓહ્સુમીનુ યોગદાન
ઓહ્સુમી એક જીવ વૈગ્નાનિક છે તેમણે એ વાતની શોધ કરી હતી કે શરીરની અંદર રહેલી કોશિકાઓ પોતાને કેવી રીતે ડિટોક્સીફાય કરે છે અને પછી પોતે જ પોતાનામાં સુધારો પણ કરે છે. જાપાનના ઓહસુમીને " મિકેનિઝમ ફૉર ઑટોફૈગી " ની શોધ કરવા માટે આ સમ્માન આપવામાં આવશે. આ અંતર્ગત તેમને આઠ મિલિયન સ્વીડિશ ક્રોનર આપવામાં આવશે. શું છે ઑટોફેગી ઑટોફેગી શરીરની અંદર થતી રિસાઇકલિંગની પ્રક્ર્રિયાનેકહેવામાં આવે છે.
તે અંતર્ગત જૂની કોશિકાઓ નષ્ટ થઇ જાય છે અને જરુરી ભાગો ઉર્જાનું નિર્માણ કરે છે અથવા ફરીથી નવી કોશિકાઓનું નિર્માણ કરે છે. વિશેષગ્નોના મતે આ ખૂબ જ નાજુક પ્રક્રિયા હોય છે અને આનાથી કોઇ પણ પ્રકારનું નાસૂર થવાની સંભાવના ઘણી ઓછી થઇ જાય છે. આ ઉપરાંત એક સ્વસ્થ પાચન પ્રક્રિયા ચાલુ રહે છે. તેનાથી લોકોમાં ડાયાબિટીઝ જેવી બિમારી થવાની સંભાવના પણ ઘટી જાય છે.