For Quick Alerts
For Daily Alerts
શનિવારે ભારત આવશે પાકિસ્તાનના પીએમ અશરફ
રાજનૈતિક અને અન્ય સૂત્રોએ જણાવ્યું કે 9 માર્ચ રોજ એક દિવસીય પ્રવાસ માટેની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. એક સૂત્રએ જણાવ્યું કે ભારતીય નેતાઓ સાથે અધિકારીક બેઠકને લઇને હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.
પાકિસ્તાન સરકારના એક સૂત્રએ જણાવ્યું કે એવું લાગે છે કે પ્રધાનમંત્રી આગામી ચૂંટણીમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સફળતા માટે અઝમેરમાં દરગાહ પર જિયારત કરવા માગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પીપીપી પ્રમુખ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ગયા વર્ષે એપ્રિલમાં અઝમેર સ્થિત પ્રસિદ્ધ મજાર પર જિયારત માટે ભારત આવ્યા હતા અને દરગાહને 10 લાખ ડોલરનું દાન પણ કર્યું હતું.
Comments
English summary
Pakistan PM Raja Pervez Ashraf to visit Indian shrine in Ajmer.
Story first published: Tuesday, March 5, 2013, 17:55 [IST]