For Daily Alerts
પાકિસ્તાને ભારતીય રાજદૂતોને 48 કલાકમાં દેશ છોડવાનો આપ્યો આદેશ
પાકિસ્તાને સુરજીત સિંહને દેશ છોડવાનું કહ્યુ....
પાકિસ્તાન ઉચ્ચાયુક્તના એક કર્મી મહેમૂદ અખ્તરના જાસૂસીના આરોપમાં પકડાયા બાદ તેને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આના પગલે પાકે પણ ભારતના રાજદૂત સુરજીત સિંહને પાકિસ્તાન છોડવાનો આદેશ આપી દીધો છે.
પાકિસ્તાન સરકારે ભારતના એક રાજદૂત સુરજીત સિંહને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનના વિદેશ સચિવે આ વાતની જાણકારી આપી છે. પાકિસ્તાને આ કાર્યવાહી ભારતમાં પાકિસ્તાનના એક અધિકારી મહમૂદ અખ્તરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયા અને દેશ છોડવાના આદેશ અપાયા બાદની છે. જો કે પાકે મહમદ પર જાસૂસીના આરોપોનું ખંડન કર્યુ છે. પાકે ભારતીય અધિકારીઓ પર મહમૂદ સાથે ખરાબ વર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
Comments
india pakistan new delhi high commission arrest defence documents spy spying ભારત પાકિસ્તાન નવી દિલ્હી ધરપકડ રક્ષા જાસૂસી
English summary
Pakistan asks Indian embassy official to leave country in 48 hours