દક્ષિણ સૂદાનમાં મારામારીમાં 400 થી 500 લોકોના મોત: સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્ર, 19 ડિસેમ્બર: સેનાના પ્રતિદ્વંદી ટુકડીઓ વચ્ચે મારામારી બાદ દક્ષિણ સૂદાનની રાજધાનીની હોસ્પિટલમાં 400 થી 500 લોકોની લાશ લાવવામાં આવી હોવાના સમાચાર છે. નવા આફ્રિકન સંકટ પર સુરક્ષા પરિષદમાં રાજદૂતોના વિમર્શ અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ બહાલી અભિયાનોના પ્રમુખ હર્વે લેંડહાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ સલવા કીર અને એક વિપક્ષી નેતાની સેનાઓ વચ્ચે મારામારીમાં 800 લોકોને ઇજા પહોંચી હતી.
અધિકારીઓને એમ કહેતાં ઉદ્ધત કરવામાં આવ્યા છે કે રવિવારે સંકટ શરૂ થયા બાદ લગભગ 1500 થી 20000 લોકો જુબામાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં શરણ માંગી રહ્યાં છે. લેડસોઉસે પરિષદને જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા જુબાના હોસ્પિટલો દ્વારા મળેલા સમાચાર આધારિત છે પરંતુ ગઇકાલે ફરીથી મારામારાથી થતાં સંયુક્ત રાષ્ટ્રને આંકડાઓની પુષ્ટિ હજુ કરી નથી.
વાતચીત બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાંસના રાજદૂત અને સુરક્ષા પરિષદના અધ્યક્ષ જેરોર્ડ અરાઉડે મૃતકોની વધેલી સંખ્યાઓની પુષ્ટિ કરી નથી. તેમને કહ્યું હતું કે 'ડઝનો લોકો ભોગ બન્યા છે અને નિશ્વિતપણે આ નાની ઘટના નથી.