For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન એમ્બેસીએ પોતાના નાગરિકોને ચેતવ્યા, ભારતમાં આઇએસઆઇ હુમલાની આશંકા

અમેરિકાએ પોતાના નાગરિકોને બજારો અને ધાર્મિક સ્થળોએ સાવધાની રાખવા જણાવ્યુ છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

અમેરિકી એમ્બેસીએ ભારત આવતા પોતાના નાગરિકોને ભારતમાં આતંકવાદી હુમલાની સંભાવના જણાવતા સાવચેત રહેવાની સલાહ આપી છે. એમ્બેસીએ આ બાબતે એક નોટીફીકેશન પણ જારી કર્યુ છે.

isi

અમેરિકી એમ્બેસીએ મંગળવારે એક નોટીફીકેશન જારી કર્યુ છે જેમાં અમેરિકી નાગરિકોને કહેવામાં આવ્યુ છે કે ભારતીય મીડિયામાં એ પ્રકારની રિપોર્ટ આવી છે, જે ભારતમાં આઇએસઆઇ હુમલાની આશંકા ઉત્પન્ન કરે છે. નોટીફીકેશનમાં કહેવામાં આવ્યુ છે કે આ સંભવિત ખતરાને કારણે નાગરિકોએ સાવચેતી રાખવાની જરુર છે. નોટીફીકેશનમાં રાજધાની દિલ્હી ઉપરાંત દેશભરમાં તહેવારોને કારણે ધાર્મિક સ્થળો અને બજારોમાં ખાસ સાવધાની રાખવા કહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકી હુમલાની આશંકાની ખબરો છેલ્લા ઘણા દિવસોથી આવી રહી છે. હાલમાં દિવાળી અને તેની પહેલા દશેરામાં પણ ખુફિયા એજંસીઓએ આતંકી હુમલાની આશંકા જણાવી હતી.

English summary
US embassy warns Americans of possible ISIS attacks in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X