પાકિસ્તાનની ચેતવણી, સર્જિકલ સ્ટ્રાઇકનો જવાબ મળશે!
ઉરી આતંકી હુમલા પછી 28 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધૂસીને આતંકીઓનો ખાતમો કર્યો હતો. તે પછી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ભારતીય સેનાની આ કાર્યવાહીની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે શાંતિને લઇને અમારી ઇચ્છાને ભારત અમારી નબળાઇ ના સમજે.
ભારતની સર્જિકલ સ્ટ્રાઇક: જાણવા જેવી 10 વાતો
ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક મામલે નવાઝ શરીફે કહ્યુંકે અમે અમારા દેશની સુરક્ષા કરવા માટે અને તેને હુમલાથી બચાવવા માટે તૈયાર છીએ. પાકિસ્તાનની ઇંટર સ્ટેટ પબ્લિક રિલેશન એ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનના બે જવાનોને મારી નાંખ્યા છે.
Our 2 soldiers died and 9 got injured :Pakistan Defence Minister Khawaja Asif on surgical strikes by Indian Army in Pak territory.
— ANI (@ANI_news) September 29, 2016
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાઝા આસિફે જણાવ્યું છે કે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકમાં બે પાકિસ્તાની સૈનિકની મોત થઇ છે અને 9 સૈનિકોની હાલત ગંભીર છે. પાકિસ્તાનના ઇન્ટર સ્ટેટ પબ્લિક રિલેશન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત પાકિસ્તાનની જમીન પર કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરશે તો અમે તેનો જવાબ જરૂરથી આપશું.