પીએમ મોદીની મન કી બાત: કોહલી અને અશ્વિનની કરી પ્રશંસા
આજે પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યુ કે વિરાટ કોહલીએ આ વર્ષે સારી બેટિંગની સાથે સારુ નેતૃત્વ પણ કર્યુ...
ક્રિસમસના દિવસે પીએમ મોદીએ વર્ષ 2016 ના છેલ્લા 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે નોટબંધીથી માંડીને રમત સાથે જોડાયેલી ઘણી વાતો લોકો સાથે શેર કરી.
પીએમ મોદીએ કહ્યુ કે આ વર્ષે આપણા દેશના ખેલાડીઓએ ઘણા એવા મોકા આપ્યા જ્યાં દેશવાસીઓને ગર્વનો અનુભવ થાય. હું આના માટે ખેલાડીઓને દિલથી અભિનંદન પાઠવુ છુ. મોદીએ કહ્યુ કે આ વર્ષે દિવ્યાંગોએ આપણને મેડલ અપાવ્યા. ક્રિકેટમાં કરુણ નાયરે ટ્રિપલ સેંચુરી લગાવી. કે એલ રાહુલે 199 રન કર્યા. વિરાટ કોહલીએ તો સારી બેટિંગની સાથે સાથે સારુ નેતૃત્વ પણ કર્યુ.
આર અશ્વિનને તો આઇસીસીએ આપ્યા બે એવોર્ડ
આર અશ્વિનને તો આઇસીસીએ બે-બે એવોર્ડ પણ આપ્યા છે. ઇંગ્લેંડ સામે ભારતીય ક્રિકેટ ટીમની 4-0 થી જીત ખૂબ જ પ્રશંસનીય છે. તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. આના માટે કોહલી અને તેની પૂરી ટીમને દિલથી શુભકામનાઓ પાઠવુ છુ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો