#UriAttack: સેહવાગે કહ્યું કે ઘૂસણખોર નહીં, આતંકી હતા
રવિવારે ઉરીમાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો. 17 જવાનો શહીદ થવાથી આખો દેશ પાકિસ્તાન વિરુદ્ધ ખુબ જ ગુસ્સે છે.
દરેક લોકોની નજર પીએમ નરેન્દ્ર મોદી પર છે કે તેઓ આખા મામલાને કઈ રીતે લેશે. આતંકીઓની કાળી કરતૂત પર આખો દેશ સોશ્યિલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડી વિરેન્દ્ર સેહવાગ પણ શામિલ છે.
વિરેન્દ્ર સેહવાગએ કહ્યું છે કે જો કોઈ યુદ્ધ જ ઈચ્છે છે તો યુદ્ધ જ સહી. 17 જવાનોને દિલથી સલામ, તેઓ જ દેશના સાચા હીરો છે. પરંતુ આતંકવાદને જન્મ આપવાવાળાને કોઈ પણ હાલતમાં છોડવા માં નહિ આવે. વિરેન્દ્ર સેહવાગએ આગળ કહ્યું કે તેઓ ઘૂસણખોર નહીં પરંતુ આતંકી જ હતા.
Very very heartbroken to hear about #UriAttack
— Virender Sehwag (@virendersehwag) September 18, 2016
They are not Rebels,they are Terrorists.
Terrorism must be answered appropriately
આપને જણાવી દઈએ કે રવિવારે સવારે જમ્મુ કાશ્મીરના ઉરીના સેના કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 17 જવાન શહીદ અને 20 જવાનો ઘાયલ થયા હતા. જે પુરાવાઓ મળ્યા છે તેને જોઈને તો લાગે જ છે તેની પાછળ પાકિસ્તાનનો જ હાથ છે.
17 lives.
— Virender Sehwag (@virendersehwag) September 19, 2016
They had a family,they had a son,they had a daughter.
They were serving our motherland.
Pains to see this. pic.twitter.com/65WeRRhgI5
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો