તપાસ પુરી થયા પછી જ શ્રીનિવાસન BCCI અધ્યક્ષ બની શકે : SC
નવી દિલ્હી, 7 ઓક્ટોબર : આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ કેસમાં વિવાદોમાં ઘેરાયેલા અને ત્રીજી વાર બીસીસીઆઇના અધ્યક્ષ બનેલા એન શ્રીનિવાસનને આંચકો આપતો નિર્ણય કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગની તપાસ પૂરી થવા સુધી શ્રીનિવાસન બીસીસીઆઇનું અધ્યક્ષપદ સંભાળી શકે નહીં.
આ સાથે સુપ્રીમ કોર્ટે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસની તપાસ માટે વિશેષ સમિતીની રચનાના બીસીસીઆઇમા સૂચનને નકારી દઇને પંજાબ અને હરિયાણાના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મુકુલ મુદગલની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોવાળી પેનલની રચનાનું સૂચન કર્યું છે.
ન્યાયમૂર્તિ એક કે પટનાયક અને જે એસ કહારે સીનિયર એડવોકેટ અને અધિક સોલિસિટર જનરલ એન નાગેશ્વર રાવ અને અસમ ક્રિકેટ સંઘના સભ્ય નિલય દત્તાને પેનલમાં સામેલ કરવાની રજૂઆત કરી છે.
આ કેસ પર આવતી કાલે ફરી સુનવણી કરવામાં આવી શકે છે. આ સંબંધમાં ઔપચારિક આદેશ આપી શકાય છે.