For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેસ્ટઇન્ડિઝ ટીમ સીરિઝ અધવચ્ચે છોડીને પાછી જશે, BCCI નારાજ

|
Google Oneindia Gujarati News

bravo
ધર્મશાલા, 17 ઓક્ટોબર: વેસ્ટઇન્ડિઝ ખેલાડીઓ અને તેમના સંઘ (ડબલ્યૂઆઇપીએ)ની વચ્ચે નાણાકિય વિવાદને કારણે ભારતની વિરુદ્ધ શુક્રવારે ચોથી વનડે લગભગ રદ્દ થવાની હતી, પરંતુ અણીના સમયે બીસીસીઆઇ સંયુક્ત સચિવ અનુરાગ ઠાકુરના હસ્તક્ષેપના કારણે મહેમાન ટીમ મેદાન પર આવી.

પરંતુ હવે આખી ટીમ હવે પાંચમી મેચને અધરમાં લટકાવીને દેશ પાછી ફરી રહી છે. શુક્રવારે મેદાન પર ખેલાડીઓના વિરોધના ઘણા સંકેત મળ્યા જેમાં આખી ટીમ ટોસ સમયે કપ્તાન ડ્વેન બ્રાવોની પાછળ ઊભી હતી. ટીમ અઢી વાગે શરૂ થનારી મેચ માટે બપોરે એક વાગ્યે એચપીસીએ સ્ટેડિયમ પહોંચી હતી અને તેણે અડધા કલાકથી વધારે સમય અભ્યાસ કર્યો નહીં.

જોકે આ આખું નાટક ટીમ જ્યાં રોકાઇ હતી તે હોટલમાં થયું. મેચથી ત્રણ કલાક પહેલા ઠાકુર વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓને મેચમાં રમવા માટે મનાવવા માટે ટીમ હોટલમાં ગયા હતા.

ઠાકુરે બીસીસીઆઇના શ્રેષ્ઠ અને એચપીસીએના અધિકારીના પગલે બ્રાવો અને તેમના ખેલાડીઓને મેચમાં રમવા માટે મનાવી લીધા. તેમણે જણાવ્યું કે જો મેચ નહીં રમાય તો આયોજકો માટે આ શરમજનક વાત થશે, પ્રશંસક નિરાશ થશે જે ઠેરઠેરથી આંતરરાષ્ટ્રીય મેચ જોવા માટે અત્રે આવ્યા છે.

English summary
The West Indies team announced on Friday that they were pulling out of the India tour due to the ongoing pay dispute with their board.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X