For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના સ્વર્ગ કાશ્મીરમાં જાવ, તો આ સરોવરો જોવાનું ના ચૂકતા!

|
Google Oneindia Gujarati News

હિમાલયના ખોળામાં વસેલું જમ્મુ અને કાશ્મીર પોતાની નેચરલ બ્યૂટી માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. કાશ્મીર દુનિયાના સૌથી સુંદર સ્થળોમાંથી એક છે. અત્રે શાનદાર પર્વતમાળા, ક્રિસ્ટલ સ્પષ્ટ ધારા, મંદિર, ગ્લેશિયર, અને ઉદ્યાન અત્રેની ભવ્યતામાં ચાર ચાંદ લગાવે છે. અને તેના કારણે જ કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવે છે.

વાત અત્રેના પ્રવાસનની કરવામાં આવે તો અત્રે એવું ઘણું બધું છે જેના કારણે દેશના ખૂણે ખૂણેથી જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓ પણ અત્રે ખેંચાઇ આવે છે. અહીં સુધી બોલીવુડના અનેક સુંદર દ્રશ્યોનું શૂટિંગ અત્રે કરવામાં આવે છે. અમે આજે આપને અમારા આ લેખ દ્વારા આ સ્વર્ગમાં આવેલા સુંદર અને મનમોહક સરોવરથી રૂબરૂ કરાવવા જઇ રહ્યા છીએ.

તો આવો જોઇએ તસવીરોમાં કાશ્મીરના ટોપ 5 સરોવર....

દાલ સરોવર

દાલ સરોવર

દાલ સરોવર અથવા ડલ સરોવર શ્રીનગર, કાશ્મીર ખાતે આવેલું પ્રખ્યાત સરોવર છે. ૧૮ ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા આ સરોવરની ત્રણ દિશાઓ પહાડીઓથી ઘેરાયેલી છે. જમ્મૂ-કશ્મીર રાજ્યમાં આવેલું બીજી સૌથી મોટું સરોવર છે. આમાં સ્ત્રોતો થી તો જળ આવે છે. સાથે જ કશ્મીર ઘાટીના અનેક સરોવરો આવીને આમાં જોડાય છે. ભારતના સૌથી સુંદર સરોવરમાં આનું નામ લેવાય છે.પાસે જ સ્થિત મુગલ વાટિકાથી દાલ સરોવરનું સૌંદર્ય અપ્રતિમ લાગે છે. પર્યટક જમ્મૂ-કશ્મીર આવે અને દાલ સરોવર જોવા ન જાય એવું ન થઈ શકે. દાલ સરોવરનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે અહીંના શિકારા કે હાઉસબોટ. સૈલાણી આ હાઉસબોટોમાં રહી સરોવરનો આનંદ ઉઠાવી શકે છે.

પાંગોંગ ત્સો

પાંગોંગ ત્સો

પાંગોંગ ત્સો હિમાલયમાં એક સરોવર છે જેની ઊંચાઇ લગભગ 4500 મીટર છે. આ 134 કીમી લાંબી છે અને ભારતના લદ્દાખથી તિબ્બત પહોંચે છે. જનવાદી ગણરાજ્ય ચીનમાં તળાવની બે તૃતિયાંશ છે. શીયાળામાં, ખારુ પાણી હોવા છતાં તળાવ સંપૂર્ણ જામી જાય છે. પાંગોંગ ત્સો એક પાંચ કલાકના ખાડીની યાત્રા છે. જેનો એક ખળબચળો અને ઉતારચડાવ વાળો રસ્તો છે.

શેષનાગ સરોવર

શેષનાગ સરોવર

પહેલ ગામથી 27 કિમી દૂર અને 3658 મીટરની ઉંચાઇ પર સ્થિત શેષનાગ સરોવર, અમરનાથના પ્રમુખ આકર્ષણોમાંથી એક છે. આ સ્થાનનું નામ હિન્દુ ધર્મના સાત મો વાળા નાગરાજ, શેષનાગ પર રાખવામાં આવ્યું છે. અને તત્વ છે કે આ સરોવરની પાસે સાત પહાડો છે. પહેલગામથી શેષનાગ જવા માટે બે દિવસ લાગી જાય છે. શિયાળામાં આ સરોવર બરફથી ઢંકાઇ જાય છે. આ સરોવર કેંપિંગ માટે ઉત્તમ સ્થાન છે.

વૂલર સરોવર

વૂલર સરોવર

હરમુક પર્વતના આધારમાં તથા સોપોર અને બાંદીપોર શહેરોની વચ્ચે સ્થિત વૂલર તળાવને એશિયાઇ મહાદ્વિપની સૌથી મોટી તાજા પાણીના સરોવર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વૂલર સરોવર 200 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. તેની લંબાઇ 24 કિમી, પહોંળાઇ 10 કિમી છે. આ સરોવર સનસેટ પોઇંટ માટે પણ પ્રસિદ્ધ છે. આ સરોવરના પાણીનો મુખ્ય સ્ત્રોત ઝેલમ નદી છે.

તુલિયન સરોવર

તુલિયન સરોવર

આ સરોવરને તારસીર સરોવરના નામથી પણ ઓળખવામાં આવે છે. પહેલગામથી 15 કિમી. દૂર સ્થિત આ સરોવર સુધી જવા માટે પ્રવાસીઓ ટટ્ટૂની સવારી કરવાનું પસંદ કરે છે. આ સરોવર આખુ વર્ષ બરફ તરીકે જામેલી રહે છે.

સુંદર પરંતુ હોરર છે ભારતના આ ડેસ્ટિનેશન...

સુંદર પરંતુ હોરર છે ભારતના આ ડેસ્ટિનેશન...

સુંદર પરંતુ હોરર છે ભારતના આ ડેસ્ટિનેશન...

English summary
Take a look at the beautiful lakes of Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X