પોરબંદરના રમણીય માધવપુર બીચને નીહાળો તસવીરોમાં...
જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના કોઇ દરિયા કિનારા નજર સમક્ષ આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો અહીં આવેલા છે.
અમે અમારી આ લેખશ્રેણી થકી આપને ગુજરાતના ઘણા દરિયા કિનારાઓથી આપને અવગત કરાવી ચૂક્યા છીએ. આજે એ ક્રમમાં અમે આપને લઇ જઇ રહ્યા છીએ પોરબંદર જિલ્લામાં આવેલા માધવપુર બીચ પર. પોરબંદરનો આ રમણીય બીચ એટલો સુંદર છે કે અત્રે હવે સિરિયલ, જાહેરાત અને ફીલ્મોનું પણ શૂટિંગ પણ થાય છે.
માધવપુર ઘેડ મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. સિંહોની ત્રાડ જેવા ઘુઘવાટા કરતો પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરીથી આંખો અને હદયને ભરી દેતુ માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારે તરફ પથરાયેલ જોવા મળે છે. આ ભુમિ ખાસતો ભગવાનશ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે.
માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે. મંદીર ઉતમ શિલ્પખચિત છે. તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે. સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઇતિહાસ જાળવીને હજુ પણ આ મંદીર બેઠુ છે. જો આપ પણ પોરબંદર આવેલા હોવ કે અહીં આસપાસ વસતા હોવ તો આપે પણ એક વાર માધવપુર બીચની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ...
માધવપુરના સુંદર બીચને જુઓ તસવીરોમાં...
માધવપુર બીચ
પોરબંદરના રમણીય માધવપુર બીને નીહાળો તસવીરોમાં...
માધવપુર બીચ
અમે અમારી આ લેખશ્રેણી થકી આપને ગુજરાતના ઘણા દરિયા કિનારાઓથી આપને અવગત કરાવી ચૂક્યા છીએ. આજે એ ક્રમમાં અમે આપને લઇ જઇ રહ્યા છીએ પોરબંદર જિલ્લામાં આવેલા માધવપુર બીચ પર.
પોરબંદરનો રમણીય બીચ
પોરબંદરનો આ રમણીય બીચ એટલો સુંદર છે કે અત્રે હવે સિરિયલ, જાહેરાત અને ફીલ્મોનું પણ શૂટિંગ પણ થાય છે.
ઘેડ પ્રદેશ
માધવપુર ઘેડ મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે.
સિંહોની ત્રાડ
સિંહોની ત્રાડ જેવા ઘુઘવાટા કરતો પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરીથી આંખો અને હદયને ભરી દેતુ માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારે તરફ પથરાયેલ જોવા મળે છે.
કૃષ્ણની લગ્નભુમિ
આ ભુમિ ખાસતો ભગવાનશ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે.
શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર
માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે.
મંદીર ઉત્તમ શિલ્પખચિત
મંદીર ઉત્તમ શિલ્પખચિત છે. તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે.
સમુદ્રકિનારો
સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઇતિહાસ જાળવીને હજુ પણ આ મંદીર બેઠુ છે.
માધવપુર બીચની મુલાકાત ચોક્કસ લેવી
જો આપ પણ પોરબંદર આવેલા હોવ કે અહીં આસપાસ વસતા હોવ તો આપે પણ એક વાર માધવપુર બીચની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ...
માધવપુર બીચ
માધવપુર બીચ
જો હૈદરાબાદ જશો, તો તમે ફરવા ક્યાં જશો?!