ગુજરાતના પોળોના જંગલોમાં એક વાર કેમ પ્રવાસ કરવો જોઇએ
મિત્રો આજે આપને અમે અમારા આ લેખ થકી અવગત કરાવીશું ગુજરાતના એવા પ્રવાસન સ્થળની જે ખૂબ જ નજીક, એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. પરંતુ અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય છે વર્ષાઋતુ. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે, અને તમને અહીં રોકાવાનું મન થશે, જોકે આપ અહીં રોકાઇ નહીં શકો કારણ કે અહીં એવી કોઇ વ્યવસ્થા નથી.
-
ગુજરાતના
આ
21
બીચ
જોશો
તો
ચોક્કસ
કહેશો-
''હવે
ગોવા
જવાની
જરૂર
નથી''
-
દૂર
એકાંતમાં
ફૂર્સતની
પળોને
માણો
આ
બીચ
પર...
- ગુજરાતના પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકાની એક મુલાકાત
પોળોના જંગલોને ખાસ કરીને વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી કે પછી પિકનીક તરીકે વધારે મહત્વ આપવામાં આવે છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે તેમજ અહીં આપને નગરના અવશેષો પણ જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરથી પ્રવાસીઓ અહીંના સ્થળની મુલાકાત લેતા થયા છે. જોકે આ વિસ્તાર હજી પ્રવાસન તરીકે પૂર્ણ રીતે વિકસાવાયો નથી.
આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકીયુગનાં મંદિરો છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ આવેલી છે.
-
આપના
હનિમૂન
કે
ફેમિલી
ટૂરને
હૉટ
બનાવશે
આ
હિલ
સ્ટેશનો!
-
ટૂરિસ્ટ
બનતા
પહેલા
આ
કોડ
વર્ડ
ચોક્કસ
જાણી
લેજો,
નહીંતર
છેતરાઇ
જશો!
-
ગુજરાતનું
અહેમદપુર
માંડવી-
પ્રવાસન
માટેનો
સુંદર
દરિયા
કિનારો
- એક્સક્લૂસિવ તસવીરોમાં કરો કેરળના સૌથી સેક્સી બીચોનો પ્રવાસ
વિજયનગર પાસે અંભાપુર નજીક આવેલું શરણેશ્વર મહાદેવનું મંદિર પણ પુરાણી ભવ્યતાનું ઉદાહરણ છે. ત્યારબાદ ત્યારબાદ અહીંથી થોડે દૂર આવેલું વીરેશ્વર મહાદેવ ના મંદિરનું પણ આગવું મહત્વ છે. અહીં ઉમરા ના વૃક્ષના મૂળમાંથી 'ગુપ્ત ગંગા' એટલે કે પાણીનો સ્ત્રોત વહે છે, જે સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.
કેવી રીતે આવશો અહીં:
અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે.
અમદાવાદથી આ સ્થળ 110 કિમી અંતરે આવેલું છે, અમદાવાદથી અહીં આવતા 2થી અઢી કલાક જેટલો સમય થાય છે. અહી આપ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં રોકાઇ શકો છો પરંતુ તેના માટે સાબરખાંઠા વનવિભાગમાં અરજી કરવી પડે છે.
વિજયનગર પોળોને જુઓ તસવીરોમાં...
વિજયનગર પોળો
મિત્રો આજે આપને અમે અમારા આ લેખ થકી અવગત કરાવીશું ગુજરાતના એવા પ્રવાસન સ્થળની જે ખૂબ જ નજીક, એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
પોળોના જંગલો
પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. પરંતુ અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય છે વર્ષાઋતુ. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે, અને તમને અહીં રોકાવાનું મન થશે, જોકે આપ અહીં રોકાઇ નહીં શકો કારણ કે અહીં એવી કોઇ વ્યવસ્થા નથી.
વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી
પોળોના જંગલોને ખાસ કરીને વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી કે પછી પિકનીક તરીકે વધારે મહત્વ આપવામાં આવે છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે તેમજ અહીં આપને નગરના અવશેષો પણ જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરથી પ્રવાસીઓ અહીંના સ્થળની મુલાકાત લેતા થયા છે. જોકે આ વિસ્તાર હજી પ્રવાસન તરીકે પૂર્ણ રીતે વિકસાવાયો નથી.
મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ
આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકીયુગનાં મંદિરો છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ આવેલી છે.
વીરેશ્વર મહાદેવના મંદિર
વિજયનગર પાસે અંભાપુર નજીક આવેલું શરણેશ્વર મહાદેવનું મંદિર પણ પુરાણી ભવ્યતાનું ઉદાહરણ છે. ત્યારબાદ ત્યારબાદ અહીંથી થોડે દૂર આવેલું વીરેશ્વર મહાદેવ ના મંદિરનું પણ આગવું મહત્વ છે. અહીં ઉમરા ના વૃક્ષના મૂળમાંથી 'ગુપ્ત ગંગા' એટલે કે પાણીનો સ્ત્રોત વહે છે, જે સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.
કેવી રીતે આવશો અહીં:
અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે.
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટ
અમદાવાદથી આ સ્થળ 110 કિમી અંતરે આવેલું છે, અમદાવાદથી અહીં આવતા 2થી અઢી કલાક જેટલો સમય થાય છે. અહી આપ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં રોકાઇ શકો છો પરંતુ તેના માટે સાબરખાંઠા વનવિભાગમાં અરજી કરવી પડે છે.
અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરથી નજીક
છેલ્લા ઘણા સમયથી અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરથી પ્રવાસીઓ અહીંના સ્થળની મુલાકાત લેતા થયા છે. જોકે આ વિસ્તાર હજી પ્રવાસન તરીકે પૂર્ણ રીતે વિકસાવાયો નથી.
ભારતના સ્વર્ગના એ નજારા, જે તમે ભાગ્યે જ જોયા હશે!